બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:49 PM, 9 June 2026
મિડલ ઇસ્ટમાં થયેલા યુદ્ધના પરિણામે થયેલા મિસાઇલ હુમલાઓએ સમુદ્રમાં ભારતીય જહાજો માટે પણ ખતરો ઉભો કર્યો છે. ઓમાનના દરિયાકાંઠે એક તેલ ટેન્કર પર થયેલા હુમલાએ ડઝનબંધ ભારતીય નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા હતા. માહિતી મળતાં, મુંબઈમાં મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટરે તાત્કાલિક કાર્યવાહી કરી, 24 ભારતીય ક્રૂ સભ્યોને બચાવવા માટે ઓમાની અધિકારીઓ સાથે કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ભારતીય કોસ્ટ ગાર્ડે મંગળવારે (9 જૂન) X પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે મુંબઈ સ્થિત મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) એ ઓમાન દરિયાકાંઠાના પ્રદેશ (SRR) માં MT મેરીવેક્સ પર મિસાઇલ હુમલા બાદ ઝડપી કાર્યવાહી કરી છે. પોસ્ટમાં વધુ કહ્યું છે કે, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) હિંદ મહાસાગરમાં ભારતીય નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે, દરિયાકાંઠાના રાજ્યો સાથે સંકલનમાં કામ કરે છે. મિત્ર રાષ્ટ્રો સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ એ ભારતીય કોસ્ટ ગાર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય છે, જે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ઝડપી અને અસરકારક શોધ અને બચાવ કામગીરીને સક્ષમ બનાવે છે.
Swift response by #MRCC #Mumbai following missile attack on MT Marivex in #OmanSRR.
— Indian Coast Guard (@IndiaCoastGuard) June 9, 2026
On receiving information, MRCC Mumbai immediately coordinated with OMSC Oman, ensuring the safe rescue of 24 #Indian crew by #Oman Navy helicopters.@IndiaCoastGuard remains steadfast in its… pic.twitter.com/ULDjzgEK4g
ADVERTISEMENT
એક ઓફિશિયલ નિવેદન અનુસાર, MRCC મુંબઈને સોમવારે પલાઉ-ધ્વજવાળા ટેન્કર MT મારીવેક્સ પર મિસાઈલ હુમલાની માહિતી મળી હતી જ્યારે તે ઓમાનના માસીરાહ નજીક લંગર કરી રહ્યું હતું. જહાજમાં 24 સભ્યોનો ક્રૂ હતો, જે બધા ભારતીય નાગરિકો હતા. આ માહિતી MRCC મુંબઈને બોર્ડ પરના એક ક્રૂ સભ્યના સંબંધી દ્વારા આપવામાં આવી હતી.
MRCC મુંબઇએ OMSC સાથે તરત સંપર્ક કર્યો
ADVERTISEMENT
MRCC મુંબઈએ તાત્કાલિક ઓમાન મેરીટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યુ સેન્ટર (OMSC)નો સંપર્ક કર્યો, અને તેમને સર્ચ મિશન કોઓર્ડિનેટર (SMC) ની ભૂમિકા નિભાવવા અને જહાજ અને તેના ક્રૂને તાત્કાલિક સહાય પૂરી પાડવા વિનંતી કરી. ઝડપથી કાર્યવાહી કરતા, OMSC ઓમાનએ નજીકના જહાજને ડાયવર્ટ કરીને અને ઘટના સ્થળે બે બચાવ હેલિકોપ્ટર તૈનાત કરીને બચાવ કામગીરી શરૂ કરી.
આ પણ વાંચોઃ 20થી વધુનાં મોત, PoKમાં પ્રદર્શનકારીઓ પર પાકિ. સેનાના અંધાધૂંધ ફાયરિંગથી ઉઠ્યાં વિરોધના વંટોળ
ADVERTISEMENT
બધી 24 ભારતીય ક્રૂ સુરક્ષિત
ભારતીય ક્રૂને બચાવવા માટે MRCC મુંબઈ, OMSC ઓમાન અને અન્ય સંબંધિત પક્ષો વચ્ચે સતત સંકલન કરવામાં આવ્યું. ત્યારબાદ, OMSC ઓમાનએ પુષ્ટિ આપી કે ઓમાની નૌકાદળના હેલિકોપ્ટર દ્વારા તમામ 24 ભારતીય ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બચાવેલા તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે, અને કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે જહાજ હાલમાં ઓમાનના મસિરાહ નજીક લંગરાયેલું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.