બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:26 PM, 28 November 2024
Tourists Can Visit Siachen And Galwan: ભારતીય સેનાએ એક મોટો નિર્ણય કર્યો છે જેનાથી પ્રવાસી અને ખાસ કરીને ટ્રેકિંગ કરતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ જશે. ભારતીય સેનાના નિર્ણય મુજબ હવે પ્રવાસીઓ સિયાચીન ગ્લેશિયર, કારગિલ અને ગલવાન ખીણની બરફીલા શિખરોની મુલાકાત લઈ શક્શે.
ADVERTISEMENT
આ માટે ભારતીય સેનાએ નિર્ણય કર્યો
દેશના નાગરિકો આ દુર્ગમ યુદ્ધભૂમિનો સીધો અનુભવ કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આર્મી ચીફ (COAS) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ જાણકારી આપી. તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, 'જમ્મુ-કાશ્મીર આતંકવાદથી પર્યટન તરફ વળ્યું છે અને સેનાએ આ પરિવર્તનની સુવિધા આપી છે.'
ADVERTISEMENT
જનરલ દ્વિવેદીએ પુણેમાં આપ્યુ વ્યાખ્યાન
જનરલ દ્વિવેદી ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (DDSS), સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી દ્વારા આયોજિત જનરલ બીસી જોશી મેમોરિયલ લેક્ચર સિરીઝના ભાગરૂપે 'ભારતની વિકાસ ગાથાને સુરક્ષિત કરવામાં ભારતીય સેનાની ભૂમિકા અને યોગદાન' પર વ્યાખ્યાન આપી રહ્યા હતા.
ADVERTISEMENT
કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્રે અપાર સંભાવનાઓ
આ ઉપરાંત જનરલ દ્વિવેદીએ વધુમાં કહ્યું કે, 'જમ્મુ-કાશ્મીરમાં પર્યટન ક્ષેત્રે અપાર સંભાવનાઓ છે. પ્રવાસન ક્ષમતા ખૂબ ઊંચી છે અને તાજેતરના સમયમાં જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 48 વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે. આગામી પાંચ વર્ષમાં અમારી પાસે પ્રવાસીઓની સંખ્યા બમણી કરવાની ક્ષમતા છે.'
ADVERTISEMENT
ભારતીય સેના વિશેષ તાલીમ આપવા પ્રતિબદ્ધ
આ ઉપરાંત વધુમાં જણાવતા જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, 'ભારતીય સેના પ્રવાસ આયોજકો અને ઓપરેટરોને સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને સરહદી વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે વિશેષ તાલીમ આપવા માટે પ્રતિબદ્ધ છે. પર્વતારોહણ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં સ્થાનિક લોકોને તાલીમ આપવી એ અમારા તાલીમ કાર્યક્રમનો એક ભાગ છે, જેમાં ટ્રાન્સ-હિમાલયન ટ્રેક, ઉત્તરાખંડમાં 'સોલ ઓફ સ્ટીલ' ટ્રેક અને તમામ નાગરિકો માટે સિયાચીન ગ્લેશિયર સુધીનો ટ્રેક શરૂ કરવાનો સમાવેશ થાય છે.'
ADVERTISEMENT
કારગિલ અને ગલવાનની ઓળખ
જનરલ દ્વિવેદીએ વધુમાં કહ્યું કે, 'અમે પ્રવાસીઓ માટે કારગિલ અને ગલવાન સહિતના યુદ્ધક્ષેત્રો પણ પ્રવાસીઓ માટે ખોલી રહ્યા છીએ, જેથી તેઓ આવા યુદ્ધક્ષેત્રનો સ્વયં અનુભવ મેળવી શકે.'
ADVERTISEMENT
વધુ વાંચો : હવે ભારતમાં જ બનશે ઇજેક્શન સીટ પેરાશૂટ, આ શહેરને મળ્યો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી
નોંધનીય છે કે, લદ્દાખના કારાકોરમ પર્વતમાળામાં સ્થિત સિયાચીન ગ્લેશિયરને વિશ્વના સૌથી ઊંચા અને ઠંડા યુદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. કારગિલ, લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશનો એક જિલ્લો, 1999ના ભારત-પાકિસ્તાન યુદ્ધનું સ્થળ હતું. તો જૂન 2020માં, લદ્દાખની ગલવાન નદીની ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.