બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:07 PM, 9 June 2026
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે આંતરરાષ્ટ્રીય એનર્જી માર્કેટમાં મચેલી અફરાતફરીથી બચવા માટે ભારત સરકારે એક લાંબાગાળાના અને અભેદ્ય માસ્ટરપ્લાન પર કામ તેજ કર્યું છે. ભવિષ્યમાં દેશમાં ક્યારેય પણ ઉર્જા સંકટ ઊભું ન થાય તે માટે ભારતે દુનિયાના સૌથી પડકારજનક અને મગજ ચક્કર ખવડાવી દે તેવા અંડરવોટર પાઇપલાઇન પ્રોજેક્ટ પર પુનઃ વિચારણા શરૂ કરી દીધી છે. આ યોજના હેઠળ અરબ સાગરના તળિયેથી સીધી ઓમાન દેશથી લઈને ભારતના ગુજરાત સુધી એક વિશાળ ગેસ પાઇપલાઇન નેટવર્ક તૈયાર કરવામાં આવશે.
ADVERTISEMENT
વર્તમાન સમયમાં ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ સ્વરૂપે વિદેશોમાંથી આયાત કરે છે. અત્યારે ભારત ખાડી દેશોમાંથી મોટા મોટા જહાજો અને ટૅન્કરો દ્વારા લિક્વિડ ગેસ (LNG) મંગાવે છે. આ તમામ જહાજો 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) ના અત્યંત સંવેદનશીલ દરિયાઈ માર્ગેથી પસાર થાય છે.
ADVERTISEMENT

પશ્ચિમ એશિયામાં જ્યારે પણ કોઈ સૈન્ય તણાવ કે યુદ્ધ ફાટી નીકળે છે, ત્યારે આ સપ્લાય લાઇન જોખમમાં મૂકાઈ જાય છે. આ રૂટ પ્રભાવિત થવાને કારણે વૈશ્વિક બજારમાં જહાજોનું ભાડું, વીમો અને ઈંધણની કિંમતો રાતોરાત આસમાને પહોંચી જાય છે. તાજેતરના વર્ષોમાં એલએનજી (LNG) ના ભાવોમાં આવેલી ભયંકર અસ્થિરતાએ ભારતને મજબૂર કર્યું છે કે તે ટૅન્કરોના જંજાલથી મુક્ત એવો એક કાયમી અને સુરક્ષિત રસ્તો શોધે.
ADVERTISEMENT
આ ડાયરેક્ટ અંડરવોટર પાઇપલાઇન એલએનજી આયાત કરવાની જૂની અને અત્યંત જટિલ પ્રક્રિયાનો કાયમી અંત આણી દેશે. અત્યારની સિસ્ટમ મુજબ, પહેલા અખાતી દેશોમાં ગેસને ભારે દબાણ હેઠળ માઈનસ તાપમાનમાં 'લિક્વિડ ફોર્મ'માં બદલવામાં આવે છે, ત્યારબાદ તેને સ્પેશિયલ ટૅન્કરમાં ભરીને ભારત મોકલાય છે અને ભારતીય બંદરો પર ઉતાર્યા પછી તેને ફરીથી ગેસ સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ નવી પાઇપલાઇન તૈયાર થતાં જ, ઓમાનથી કુદરતી ગેસ કોઈપણ રોકટોક કે પ્રોસેસ વિના સીધો જ પાઇપલાઇન દ્વારા ભારત આવી પહોંચશે અને દરિયાઈ રૂટ બંધ થવાનો ભય પણ કાયમ માટે ટળી જશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ અદભુત પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે ‘મિડલ ઈસ્ટ-ઈન્ડિયા ડીપવાટર પાઇપલાઇન’ તરીકે ઓળખાય છે. આ પ્રોજેક્ટ હેઠળ અરબ સાગરના પેટાળમાં આશરે 2000 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે. આ એન્જિનિયરિંગ એટલું અદભુત હશે કે પાઇપલાઇનનો કેટલોક હિસ્સો સમુદ્રની સપાટીથી 3000 મીટર કરતાં પણ વધુ ઊંડાઈએ દરિયાના તળિયે ફિક્સ કરવામાં આવશે. આ પ્રચંડ દબાણવાળા ઝોનમાં કામ કરવા માટે દુનિયાની સૌથી અત્યાધુનિક અને નેક્સ્ટ જનરેશન એન્જિનિયરિંગ ટેકનોલોજીની જરૂર પડશે.
ADVERTISEMENT
દરિયાની અંદરથી ભારત સુધી ગેસ લાવવાનો આ આઈડિયા નવો નથી. આ પ્રોજેક્ટ વિશે છેલ્લા 30 વર્ષથી વિચારણા અને ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ જ્યારે પણ આ વિષય પર સંશોધન થયું ત્યારે બે સૌથી મોટા અવરોધો સામે આવ્યા હતા.
આ પણ વાંચોઃ ધરતીકંપથી ધ્રુજ્યો અમરેલીનો મિતિયાળા પંથક, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ત્રણ દાયકા પહેલાં સમુદ્રની આટલી ભયાનક ઊંડાઈમાં પાઇપલાઇન નાખવી અને તેનું મેન્ટેનન્સ કરવું આર્થિક રીતે ભારે નુકસાનનો સોદો લાગતો હતો. જો કે, વર્તમાન સમયની આધુનિક ટેકનોલોજી અને ગ્લોબલ એનર્જી ક્રાઈસિસને જોતા તે હવે શક્ય લાગી રહ્યો છે. પ્રારંભિક સત્તાવાર અંદાજો મુજબ, આ ભગીરથ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે અંદાજે 40,000 કરોડ રૂપિયા (રૂપિયા 40 હજાર કરોડ) નો જંગી ખર્ચ થવાની સંભાવના છે, જે ભારતની ઉર્જા સુરક્ષાને સદીઓ સુધી અભેદ્ય બનાવી દેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.