VTV વિશેષ / સરકારે ખેડૂતો માટે આઉટ ઓફ બોક્સ વિચારવું પડશે, તેમને આત્મનિર્ભર થવા દો

India needs to establish free economy in farming sector

આઝાદીના 70 વર્ષ પછી પણ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. 1960ના દશકમાં ભારત ભીષણ દુષ્કાળ અને બીજા અલગ અલગ કારણો સર ઘણા વર્ષો સુધી  ભારત અનાજની અછતમાં રહ્યો. પરિણામે સરકાર સતત પ્રજા અને ખેડૂતોના કલ્યાણ માટે અલગ અલગ પોલિસી બનાવતી રહી. આ કારણોસર કૃષિ ક્યારેય એક સ્વતંત્ર વેપાર ક્ષેત્ર તરીકે કામ કરી શકી નથી. નિષ્ણાતોના મતે આ દેશમાં ખેતીના પતન માટે મુખ્ય જવાબદાર કારણ છે. ત્યારે આજનો ભારતીય ખેડૂત હવે કદાચ સરકારી કાયદાકીય આટાપાટાથી બહાર આવીને સ્વતંત્ર રીતે ઉત્પાદન કરીને વેચાણ કરવા ઈચ્છતો હોઈ શકે.

બ્રેકિંગ ન્યૂઝ