બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ચીજવસ્તુઓ થશે સસ્તી! PM મોદીના એલાન બાદ GSTમાં મોટો ફેરફાર

ગુડ ન્યૂઝ / ચીજવસ્તુઓ થશે સસ્તી! PM મોદીના એલાન બાદ GSTમાં મોટો ફેરફાર

Priykant Shrimali

Last Updated: 12:35 PM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day 2025 : સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાથી PM મોદીનું મોટું એલાન, દિવાળીએ સામાન્ય જનતા માટે કર રાહતની ભેટ, હવે 4 નહીં 2 સ્લેબમાં હશે કર દરો ?

Independence Day 2025 : આજે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન PM મોદીએ દિલ્હીથી સૌથી મોટી જાહેરાત કરી છે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જે કરોડો જનતાને સીધો લાભ પહોંચાડશે. નોંધનીય છે કે, આજે PM મોદીએ લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધન કરતાં જણાવ્યું કે, આગામી દિવાળી સુધીમાં Goods and Services Tax (GST) વ્યવસ્થામાં આગામી પેઢીના સુધારા લાગુ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે GSTના નવા સુધારા હેઠળ સામાન્ય જનતા માટે રોજિંદી ઉપયોગની વસ્તુઓ પરનો કર ઘટાડવામાં આવશે જેના પરિણામે તે વસ્તુઓ વધુ સસ્તી બનશે. આ પગલું ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે ફાયદાકારક સાબિત થશે, અને સાથે સાથે દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.

GST સ્લેબમાં થશે મોટા ફેરફાર ?

તમે બધા જાણતા જ હશો કે, હાલમાં GST હેઠળ ચાર મુખ્ય સ્લેબ છે 5%, 12%, 18% અને 28%. નાણા મંત્રાલયે સૂચન કર્યું છે કે, આગામી સુધારાઓ હેઠળ બે સ્લેબ સિસ્ટમ અપનાવવામાં આવશે. જેમાં એક સ્ટાન્ડર્ડ દર અને એક મેરિટ દર રાખવામાં આવશે. આ બદલાવનો ઉદ્દેશ વર્તમાન સ્લેબ માળખાને સરળ બનાવવો અને તર્કસંગત બનાવવો છે. નાણા મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે, અમુક ઉત્પાદનો માટે ખાસ દર પણ રાખવામાં આવશે જે જરૂરિયાત અનુસાર નક્કી કરવામાં આવશે.

હવે GST કાઉન્સિલની બેઠક બાદ જ મળી શકે મોટી અપડેટ

મહત્વનું છે કે, આગામી મહિને GST કાઉન્સિલની બેઠક યોજાવાની શક્યતા છે. આ બેઠકમાં તમામ રાજ્યોના નાણામંત્રીઓ અને મંત્રીઓનો સમાવેશ કરતી મંત્રીઓનું જૂથ (GoM) પણ ભાગ લેશે જે પહેલેથી જ દરોમાં સંશોધન અને એકીકરણ માટે વિચાર વિમર્શ કરી રહી છે.

આ પણ વાંચો : લાલ કિલ્લા પરથી PM મોદીએ આપ્યો 'મેડ ઇન ઇન્ડિયા'નો નવો ટાર્ગેટ, કહ્યું 'ભારતમાં જ....'

GSTની 8 વર્ષનો સફર

નોંધનીય છે કે, 1 જુલાઈ, 2017ના રોજ GST દેશભરમાં લાગુ થયો હતો અને હવે તેનું 8 વર્ષ પૂર્ણ થવાના અનુરુપ સરકાર તેનામાં સુધારા લાવવાનો માર્ગ પસંદ કરી રહી છે. પ્રધાનમંત્રીએ આ સુધારાને "દિવાળીની ભેટ" તરીકે ઓળખાવ્યા જે નાગરિકો માટે રાહત અને ઉદ્યોગો માટે નવી આશા લાવશે. જો GST સુધારો થયો તો ઉપભોક્તા અને ઉદ્યોગો બંનેને લાભ મળશે અને ભારતની અર્થવ્યવસ્થાને નવી દિશા મળશે. હવે તમામની નજર GST કાઉન્સિલની આગામી બેઠક અને તેમાં લેવાતા નિર્ણય પર ટકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Independence Day 2025 PM Modi Big change in GST
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ