ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું કંગાળ પ્રદર્શન યથાવત છે. કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં સારું પ્રદર્શન બતાવી ના શક્યા. કોહલી માત્ર 20 રન બનાવી પેવેલિયન પરત ફર્યા.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું કંગાળ પ્રદર્શન યથાવત
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં સારા પ્રદર્શનથી દૂર
કોહલી માત્ર 20 રન બનાવી પેવેલિયન પરત ફર્યા
કોહલી આઉટ થયા બાદ થયા હતા નિરાશ
કોહલી ઈંગ્લેન્ડના સેમ કુરેનનો શિકાર બન્યાં. કેપ્ટન કોહલી આઉટ થયા બાદ નિરાશ જોવા મળ્યા હતા. તેમણે ડ્રેસિંગ રૂમમાં ગુસ્સો કર્યો હતો. તેમણે નેપકિનના પેપર ફેંકી દીધા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારબાદ કોહલી બાલકનીમાં નિરાશ બેઠેલા જોવા મળ્યા હતાં. કરણની બોલિંગમાં તેઓ શોટ ફટકારવા ગયા હતા. પરંતુ પાછળથી બટલરે કેચ કરતા તેઓ આઉટ થયા હતા.
મેચનાં આખરી સેશન દરમિયાન વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને ઈશાંત શર્મા રમી રહ્યા હતા. બંને બેટ્સમેનો ઇંગ્લિશ બોલરોનાં પડકારને નકારવાનો અને વધુ મુશ્કેલી વિના ભારતને સ્ટમ્પ તરફ લઇ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે, કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા બે બેટ્સમેનથી ખુશ નહોતા કારણ કે તેઓએ અમ્પાયરોને રમત રોકવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો ન હતો કારણ કે સ્થળ પર ખરાબ પ્રકાશ સ્પષ્ટ થઈ ગયો હતો.
કોહલી અને રોહિતની નિરાશા અને મૂંઝવણભરી અભિવ્યક્તિઓ કેમેરામાં કેદ થઈ ગઈ હતી કારણ કે બંનેએ પંત-ઈશાંતને અમ્પાયરો સાથે વાત કરવા અને ડ્રેસિંગ રૂમમાં પાછા ફરવાનો સંકેત આપવાનું ચાલુ રાખ્યું હતું. લોર્ડ્સમાં પ્રકાશમાં ઘટાડો થતાં બંનેએ કેવી પ્રતિક્રિયા આપી તે જુઓ
છેલ્લે 2019માં ડે-નાઈટ મેચમાં બનાવી સદી
કોહલી આઉટ થતાં સદી ફટકારી શક્યા નહોતા. તેઓ પ્રથમ ઈનિંગમાં 42 રન બનાવી આઉટ થયા હતા. કોહલી 49 ઈનિંગથી સદી બનાવી શક્યા નથી. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લી વખત નવેમ્બર 2019માં બાંગ્લાદેશની સામે ડે-નાઈટ ટેસ્ટમાં સદી બનાવી હતી. તેમણે કોલકાતામાં 136 રનની પ્રભાવશાળી ઈનિંગ રમી હતી.
કોહલીનો સદી ચૂક્યાનો રેકોર્ડ
કોહલીને આ અગાઉ બે અવસરો પર સદી માટે લાંબી રાહ જોવી પડી હતી. 2011માં ફેબ્રુઆરીથી લઈને સપ્ટેમ્બર સુધી 24 ઈનિંગમાં કોહલી સદી બનાવી શક્યા નહોતા. તેઓ 2014માં ફેબ્રુઆરીથી લઈને ઓક્ટોબર સુધી 25 ઈનિંગમાં સદી બનાવી શક્યા નહોતા. પરંતુ 2008માં ડેબ્યુ કર્યા બાદ 2020 એવુ વર્ષ રહ્યું કે જ્યાં કોહલી એક પણ સદી લગાવી શક્યા નથી.