બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG: KL Rahul ruled out of Rajkot Test vs England; Padikkal named replacement

રાજકોટ / KL રાહુલ છેલ્લી ઘડીએ રાજકોટ ટેસ્ટમાંથી આઉટ, આ ખેલાડીનું ચમકી ગયું નસીબ, રવિન્દ્ર જાડેજા પણ નહીં

Hiralal

Last Updated: 09:53 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 ફેબ્રુઆરીથી રાજકોટમાં શરુ થતી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડીયાને ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલ અનફિટ હોવાને કારણે ટીમની બહાર થયો છે.

  • 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં શરુ થતી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડીયાને લાગ્યો ઝટકો
  • અનફિટ કેએલ રાહુલ ટીમમાંથી થયો બહાર
  • રણજીના દેવદત્ત પડિક્કલને ટેસ્ટમાં તક મળી 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ગુરુવાર (15 ફેબ્રુઆરી)થી રાજકોટમાં રમાવાની છે. રાજકોટ ટેસ્ટ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલ અનફિટ હોવાના કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. કેએલ રાહુલ હટી જતાં દેવદત્ત પડિક્કલનું નસીબ ચમકી ગયું છે. રાહુલના કર્ણાટકના સાથી ખેલાડી પડિક્કલને રિપ્લેસમેન્ટ તરીકે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જેની પુષ્ટિ સોમવારે બીસીસીઆઇએ કરી હતી. પડિક્કલ 2021માં ભારત માટે બે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 8 રન બનાવ્યા હતા. રાહુલ વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી મેચમાં ક્વાડ્રિસેપ ઈજાના કારણે રમ્યો નહતો. ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ મેચો માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે બીસીસીઆઇએ એમ પણ કહ્યું હતુ કે, રાહુલને ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ રમાડી શકાય છે. બોર્ડે હવે સત્તાવાર નિવેદનમાં કહ્યું, "કેએલ રાહુલે 90 ટકા મેચ ફિટનેસ હાંસલ કરી છે. "તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ જબરદસ્ત પ્રગતિ કરી રહ્યો છે. તે ચોથી અને પાંચમી ટેસ્ટ માટે સંપૂર્ણપણે ફિટ થવા માટે બેંગાલુરુની નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં પોતાની રિકવરી પ્રક્રિયા ચાલુ રાખશે. 

રવિન્દ્ર જાડેજા પણ ટેસ્ટમાં નથી રમવાનો 
રાહુલે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ક્વાડ્રિસેપ્સમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેણે હૈદરાબાદમાં 86 અને 22 રન બનાવ્યા હતા. રાહુલ ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હેમસ્ટ્રિંગની ઈજાના કારણે વિશાખાપટ્ટનમમાં પણ મેદાન પર ઉતર્યો નથી. જોકે જાડેજા રાજકોટમાં રમશે કે નહિ તે અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ શકી નથી. 

કોણ છે દેવદત્ત પડિક્કલ
નોંધપાત્ર છે કે, 23 વર્ષીય પડિક્કલને પહેલી વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે મંગળવારે ટીમમાં જોડાય તેવી સંભાવના છે. તેણે તાજેતરમાં રમાયેલી રણજી મેચમાં તમિલનાડુ સામે 151 અને 36 રન ફટકાર્યા હતા. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હાલ 1-1થી બરોબરી પર છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ