લાંબા સમયથી આયકર વિભાગ લોકોને આધાર-પાન લિકિંગ માટે કહી રહ્યું છે. પરંતુ હજુ પણ કરોડો લોકોએ આ કામ કરાવ્યું નથી. જો તમે પણ આ કામ નથી કરાવ્યું તો જાણી લો કે આયકર વિભાગે ફરી એકવાર લોકોને ઍલર્ટ કર્યા છે અને કહ્યું છે કે, 31 માર્ચ સુધી એક નિર્ધારિત સમય મર્યાદા આપી આધાર-પાન લિકિંગ કરાવવાનું કહ્યું છે.
ફેબ્રુઆરીમાં આયકર વિભાગે જાહેર કર્યુ હતું કે, જો 31 માર્ચ સુધીમાં પાનકાર્ડને આધાર સાથે લિંક નહીં કરાવો તો તમારો પાનકાર્ડ કામ નહીં કરે.
આયકર વિભાગના આંકડાઓ બતાવે છે કે, 27 જાન્યુઆરી 2020 સુધી 30.75 કરોડ પાનકાર્ડને આધાક કાર્ડ સાથે જોડાઈ ચુક્યા છે. જોકે, 17.58 કરોડ પાનકાર્ડને હજુય આધાર સાથે લિંક કરાવવાના બાકી છે. આવામાં 17 કરોડથી વધું પાનકાર્ડ ધારકો માટે 31 માર્ચનો દિવસ ખૂબ જ અગત્યનો બની ગયો છે.
આ સ્ટેપથી પાનકાર્ડને આધાક કાર્ડ સાથે લિંક કરો
આયકરવિભાગની વૅબસાઈટ, incometaxindiaefiling.gov.in પર જાઓ
ત્યાં ડાબી બાજુ આધાર લિંકનો વિકલ્પ દેખાશે
ત્યારબાદ એક નવો પેજ ઓપન થશે,જેના સૌથી ઉપર લાલ રંગમાં click here લખેલું મળશે
જો તમે પહેલાંથી પોતાના પાનને આધાર સાથે લિંક કર્યુ હશે, તો તેનુ સ્ટેટસ જાણવા તમે અહીં click કરી વેરિફાઈ કરી શકો છો
જો લિંકિંગ કર્યુ નથી તો click here ના નીચે આપેલા બૉક્સમાં પાન, આધાર નંબર, તમારું નામ અને આપેલ કૈપ્ચા એંટર કરવું
ત્યારબાદ Link Aadhar પર click કરો, એટલે તમારી લિંકિંગ પ્રોસેસ પૂરી થઈ જશે
આયકરવિભાગ અનુસાર, 567678 તથા 56161 પર SMS મોકલી તમે આઘારને પાનકાર્ડ સાથે જોડવાની લિંકના સ્ટેટસની જાણકારી મેળવી શકો છો.