બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજુ સોલંકીએ મુસ્લિમ ધર્મ અંગીકાર માટે કલેક્ટર કચેરીમાંથી મેળવ્યું ફોર્મ, ઈસ્લામ ધર્મના આગેવાને ઉઠાવ્યો વાંધો
Last Updated: 06:06 PM, 11 July 2024
ગોંડલના ગણેશ જાડેજા દ્વારા સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવાના મામલામાં સંજય સોલંકીના પરિવાર દ્વારા ધર્મ પરિવર્તનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.. સંજય સોલંકીના પરિવારજનોએ આ માટેનું ફોર્મ પણ કલેક્ટર કચેરી માંથી મેળવ્યું છે....
ADVERTISEMENT
તારીખ 30 મેના રોજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેના 10 જેટલા સાથીદારો દ્વારા સંજય સોલંકીનું અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ છે.
સંજય સોલંકીનું અપહરણ કરી નગ્ન કરી માર માર્યો હતો
ADVERTISEMENT
જૂનાગઢ. એન એસ યુ આઈ શહેર પ્રમુખ અને દલિત સમાજના પ્રમુખના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરી તેને નગ્ન કરીને માર મારતો વિડીયો બનાવાયો હોવાની ફરિયાદ જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને જેને પગલે ગણેશ જાડેજા સહિત 10 શખ્સોની જુનાગઢ પોલીસે ધરપકડ કરી હતી...
જયરાજસિંહ જાડેજા સામે ગુનો દાખલ કરી ધરપકડની માંગ
ADVERTISEMENT
જો કે સંજય સોલંકીના પિતા અને દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકીની માંગ છે કે ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહ જાડેજા સામે કલમ 120 બી હેઠળ ગુનો દાખલ કરી તેમની પણ ધરપકડ કરવામાં આવે અને ગીતાબા ઝાડેજાનું રાજીનામું લેવામાં આવે. જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો તેઓ પોતાના પરિવાર સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે.. આ માટે રાજુ સોલંકી દ્વારા કલેક્ટર કચેરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનું ફોર્મ પણ લેવામાં આવ્યું છે....
મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષની દલીલ
ADVERTISEMENT
બીજી તરફ મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઇમ્તિયાઝ પઠાણ દ્વારા રાજુ સોલંકીના નિવેદન ઉપર વિરોધ દર્શાવ્યો છે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા બાબતને લઈને હાલ જૂનાગઢમાં વિવાદ ઉભો થયો છે રાજુ સોલંકી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ઈમ્તિયાઝ પઠાણે જણાવ્યું હતું કે દરેકને પોતાના ધર્મનું માન સન્માન ગર્વ હોય જ છે મુસ્લિમ ધર્મના લોકોને પણ આ ગર્વ છે જ .... જે ઘટના બની છે તે રાજુભાઈ સોલંકી જયરાજસિંહ જાડેજા વચ્ચેની બાબત છે તેમાં ક્યાંય પણ ઇસ્લામ ધર્મ વચ્ચે આવતો નથી ત્યારે રાજુભાઈ દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા છે તેને લઈને તેમણે ખુલાસો કરવો જોઈએ.
આ પણ વાંચોઃ ફરાર કોન્સ્ટેબલ નીતા ચૌધરીના સાસરામાં પહોંચ્યું VTV NEWS, પરિવારના લોકો ગામમાં ન રહેતા હોવાનું ખુલ્યું
ADVERTISEMENT

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.