બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs PAK મેચ પહેલા પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો, ICC મેચ રેફરી અંગે આપ્યો ચુકાદો
Last Updated: 04:12 PM, 21 September 2025
એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર ફોર મેચ યોજાવાની છે. ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે આ બીજી વખત ટક્કર છે. પાછલી મેચમાં હાથ મિલાવવાનો વિવાદ થયો હતો જ્યારે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માંગ કરી હતી, પરંતુ ICC એ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો.
ADVERTISEMENT
સુપર ફોર મુકાબલા પહેલા પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આ મેચમાં પણ એન્ડી પાયક્રોફ્ટ મેચ રેફરી રહેશે. દરમિયાન, ભારતના પૂર્વ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને ટેકો આપ્યો છે , જેમને એશિયા કપ 2025 માં ભારત-પાકિસ્તાન મેચ પછી થયેલા હાથ મિલાવવાના વિવાદ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ટીકાનો સામનો કરવો પડ્યો છે.
આ વિવાદ પર ટિપ્પણી કરતા, અશ્વિને તેની યુટ્યુબ ચેનલ "એશ કી બાત" પર કહ્યું, "એન્ડી પાયક્રોફ્ટે બધાને ખરાબ દ્રશ્યથી બચાવ્યા. ભારતે મેચ રેફરીને પહેલાથી જ જાણ કરી દીધી હતી કે આ અમારો નિર્ણય હતો. તે પછી, તમે મેચ હારી ગયા. તો ફરિયાદ શા માટે?"
ADVERTISEMENT
અશ્વિને એ વાતને પણ રદીયો આપ્યો કે મેચ રેફરી ખેલાડીઓને હાથ મિલાવવા માટે દબાણ કરી શકે છે. તેમણે કહ્યું, "તે કોઈ શાળાના શિક્ષક કે આચાર્ય નથી કે જઈને કહે, 'ચાલો, હાથ મિલાવીએ.' એ તેમનું કામ નથી. આમાં પાયક્રોફ્ટનો વાંક ક્યાં છે?"
આ પણ વાંચોઃ ધડાધડ વિકેટ પડશે કે છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલશે?,જાણો દુબઈની પિચથી કોને ફાયદો થશે
ADVERTISEMENT
ICCએ એ પણ સ્પષ્ટતા કરી કે પાયક્રોફ્ટે 'સ્પિરિટ ઓફ ધ ગેમ'નું ઉલ્લંઘન કર્યું નથી અને તેમણે ફક્ત એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના વેન્યુ મેનેજર દ્વારા આપવામાં આવેલ સંદેશ પહોંચાડ્યો. વારંવાર વાંધાઓ છતાં, ICCએ રવિવારના ભારત-પાકિસ્તાન સુપર ફોર મેચ માટે પાયક્રોફ્ટને મેચ રેફરી તરીકે ફરીથી નિયુક્ત કર્યા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ICC તેના એલિટ પેનલ પ્રત્યે પ્રતિબદ્ધ છે અને PCBની માંગણીઓ સામે ઝૂકવા તૈયાર નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.