બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / how to Apply for PM Surya Ghar Yojana, know the process

કામની વાત / મફત વીજળી યોજના : 5 જ મિનિટમાં PM Surya Ghar Yojana માં આ રીતે કરો એપ્લાય

Published By: Megha

Last Updated: 03:18 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેન્દ્ર મોદીએ 'PM સૂર્ય ઘર' યોજનાની શરૂઆત અંગે માહિતી શેર કરી, એ સાથે જ એક પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. જાણો આ યોજના હેઠળ કેવી રીતે અરજી કરી શકો છો?

  • બજેટ 2024 દરમિયાન રૂફટોપ સોલર એનર્જી યોજનાની જાહેરાત કરી હતી. 
  • નરેન્દ્ર મોદીએ 'PM સૂર્ય ઘર' યોજનાની શરૂઆત અંગે માહિતી શેર કરી. 
  • પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ કેવી રીતે અરજી કરી શકો છો? 

નાણામંત્રીએ બજેટ 2024 દરમિયાન રૂફટોપ સોલર એનર્જી યોજનાની જાહેરાત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. 13 ફેબ્રુઆરી, 2024 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર તેમના અધિકૃત હેન્ડલ પરથી 'PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના' ની શરૂઆત અંગેની માહિતી શેર કરી હતી.

solar related scheme modi launched pm surya ghar portal 300 unit free electricity and subsidy

સોશિયલ મીડિયા સાઇટ X પરના તેમના સત્તાવાર હેન્ડલ પર એક ટ્વિટમાં, પીએમ મોદીએ નાગરિકોને સૌર ઊર્જા અને સતત પ્રગતિને પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, 'લોકોના સતત વિકાસ અને સુખાકારી માટે, અમે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના શરૂ કરી રહ્યા છીએ. રૂ. 75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને રોશની આપવાનું લક્ષ્ય ધરાવે છે.'

આ માટે PM મોદીએ એક પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. તમે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ છત પર સોલર પેનલ માટે કેવી રીતે અરજી કરી શકો છો, જાણો 

સ્ટેપ 1: 
સૌથી પહેલા તમારે https://pmsuryaghar.gov.in/ પોર્ટલની મુલાકાત લેવી પડશે. અહીં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે તમારી સ્ટેટ અને ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપનીની પસંદગી કરવાની રહેશે. આ પછી, વીજ ગ્રાહક નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ વિશેની માહિતી આપવી પડશે.

સ્ટેપ 2: 
આ પછી, ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર સાથે લોગઇન કરો. લોગઇન કર્યા બાદ રૂફટોપ સોલાર ફોર્મથી અરજી કરવાની રહેશે.

પગલું 3: 
ડિસ્કોમ પાસેથી શક્યતાની મંજૂરી માટે રાહ જુઓ. જો તમને શક્યતાની મંજૂરી મળે છે, તો તમે તમારા ડિસ્કોમમાં કોઈપણ નોંધાયેલા વિક્રેતાઓ પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી શકો છો.

સ્ટેપ 4: 
ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી, પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો.

સ્ટેપ 5: 
નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા બાદ અને ડિસ્કોમ દ્વારા ચકાસણી કર્યા બાદ પોર્ટલ પરથી કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવશે.

સ્ટેપ 6: 
કમિશનિંગ રિપોર્ટ પ્રાપ્ત કર્યા પછી, પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલો ચેક સબમિટ કરો. આ પછી, તમારી સબસિડી બેંક ખાતામાં 30 દિવસની અંદર મળી જશે.

વધુ વાંચો: FASTAG યુઝર્સ એલર્ટ! જો-જો તમે આવી ભૂલ કરતા, નહીં તો બેંક એકાઉન્ટ સાફ થઇ જશે

સાથે તેના પર સબસિડી પણ મળે છે. આ વિશેની દરેક માહિતી તમને https://pmsuryaghar.gov.in/  પર મળી રહેશે. તેમાં આપવામાં આવેલ માહિતી અનુસાર જો તમે ઘરમાં 2kW રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માંગો છો તો તેની કુલ કિંમત 47,000 રૂપિયા થશે. જેના પર સરકાર 18,000 રૂપિયાની સબસિડી આપશે. આ રીતે ગ્રાહકે રૂફટોપ સોલાર લગાવવા માટે 29,000 રૂપિયા ચૂકવવા પડશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

સંકળાયેલા મુદ્દાઓ

PM Surya Ghar Yojana PM Surya Ghar Yojana Apply Process પીએમ સૂર્ય ઘર યોજના PM Surya Ghar yojana

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ