બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
નાણામંત્રીએ બજેટ 2024 દરમિયાન રૂફટોપ સોલર એનર્જી યોજનાની જાહેરાત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. 13 ફેબ્રુઆરી, 2024 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર તેમના અધિકૃત હેન્ડલ પરથી 'PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના' ની શરૂઆત અંગેની માહિતી શેર કરી હતી.

ADVERTISEMENT
સોશિયલ મીડિયા સાઇટ X પરના તેમના સત્તાવાર હેન્ડલ પર એક ટ્વિટમાં, પીએમ મોદીએ નાગરિકોને સૌર ઊર્જા અને સતત પ્રગતિને પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, 'લોકોના સતત વિકાસ અને સુખાકારી માટે, અમે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના શરૂ કરી રહ્યા છીએ. રૂ. 75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને રોશની આપવાનું લક્ષ્ય ધરાવે છે.'
In order to further sustainable development and people’s wellbeing, we are launching the PM Surya Ghar: Muft Bijli Yojana. This project, with an investment of over Rs. 75,000 crores, aims to light up 1 crore households by providing up to 300 units of free electricity every month.
— Narendra Modi (@narendramodi) February 13, 2024
ADVERTISEMENT
આ માટે PM મોદીએ એક પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. તમે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ છત પર સોલર પેનલ માટે કેવી રીતે અરજી કરી શકો છો, જાણો
ADVERTISEMENT
સ્ટેપ 1:
સૌથી પહેલા તમારે https://pmsuryaghar.gov.in/ પોર્ટલની મુલાકાત લેવી પડશે. અહીં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે તમારી સ્ટેટ અને ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપનીની પસંદગી કરવાની રહેશે. આ પછી, વીજ ગ્રાહક નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ વિશેની માહિતી આપવી પડશે.
સ્ટેપ 2:
આ પછી, ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર સાથે લોગઇન કરો. લોગઇન કર્યા બાદ રૂફટોપ સોલાર ફોર્મથી અરજી કરવાની રહેશે.
ADVERTISEMENT
પગલું 3:
ડિસ્કોમ પાસેથી શક્યતાની મંજૂરી માટે રાહ જુઓ. જો તમને શક્યતાની મંજૂરી મળે છે, તો તમે તમારા ડિસ્કોમમાં કોઈપણ નોંધાયેલા વિક્રેતાઓ પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી શકો છો.
સ્ટેપ 4:
ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી, પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો.
ADVERTISEMENT
સ્ટેપ 5:
નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા બાદ અને ડિસ્કોમ દ્વારા ચકાસણી કર્યા બાદ પોર્ટલ પરથી કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવશે.
સ્ટેપ 6:
કમિશનિંગ રિપોર્ટ પ્રાપ્ત કર્યા પછી, પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલો ચેક સબમિટ કરો. આ પછી, તમારી સબસિડી બેંક ખાતામાં 30 દિવસની અંદર મળી જશે.
વધુ વાંચો: FASTAG યુઝર્સ એલર્ટ! જો-જો તમે આવી ભૂલ કરતા, નહીં તો બેંક એકાઉન્ટ સાફ થઇ જશે
સાથે તેના પર સબસિડી પણ મળે છે. આ વિશેની દરેક માહિતી તમને https://pmsuryaghar.gov.in/ પર મળી રહેશે. તેમાં આપવામાં આવેલ માહિતી અનુસાર જો તમે ઘરમાં 2kW રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માંગો છો તો તેની કુલ કિંમત 47,000 રૂપિયા થશે. જેના પર સરકાર 18,000 રૂપિયાની સબસિડી આપશે. આ રીતે ગ્રાહકે રૂફટોપ સોલાર લગાવવા માટે 29,000 રૂપિયા ચૂકવવા પડશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.