જો તમે હજી સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો નથી તો તમારા માટે એક સારાં સમાચાર છે. કેન્દ્ર સરકારે કોરોના મહામારીને કારણે આ યોજનાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 સુધી લંબાવી દીધી છે આ યોજના હેઠળ સરકાર ઘર ખરીદનારાઓને ભારે છૂટ આપી રહી છે. આમાં વ્યાજ રૂપે ગ્રાહકોને લાખો રૂપિયાનો લાભ મળે છે. જો તમે પણ આ યોજના માટે અરજી કરી છે, તો તમે સરળતાથી ઘરે બેસીને પણ અરજી કરી શકો છો.
PM Awas યોજનાને લઈને આવ્યા મહત્વના સમાચાર
જો તમે આ યોજનાનો લાભ નથી લીધો તો કરી લો આ કામ
હવે તમને થશે લાખો રૂપિયાનો ફાયદો
સરકાર દ્વારા આ યોજના માટે ચાર પ્રકારની કેટેગરી તૈયાર કરવામાં આવી છે. તેમાં આર્થિક રીતે વીકર સેક્શન (EWS), લોઅર ઈન્કમ ગ્રુપ (LIG), લોઅર ઈન્કમ ગ્રુપ (LIG) અને મિડલ ઈન્કમ ગ્રુપ 2 (MIG2)નો સમાવેશ થાય છે. 3 થી 6 લાખ: ઇડબ્લ્યુએસ અને એલઆઈજીની કેટેગરીમાં આવે છે. આ સિવાય 6થી 12 લાખ એમઆઈજી I ની કેટેગરીમાં આવે છે. આ સાથે 12થી 18 લાખ એમઆઈજી IIની કેટેગરીમાં આવે છે.
કોને કેટલી સબસિડી મળે છે?
PMAY: મહત્તમ સબસિડી રૂ. 2.67 લાખ
EWS/LIG: 6.5 ટકા સબસિડી
MIG-I: 4 ટકા ક્રેડિટ લિંક સબસિડી
MIG-II: 3 ટકા ક્રેડિટ લિંક સબસિડી
આ રીતે ચેક કરો તમારું નામ
આ માટે તમારે સૌથી પહેલાં rhreporting.nic.in/netiay/Benificiary.aspx વેબસાઇટ પર જવું પડશે.
જો તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર છે, તો તેને દાખલ કરો.
આ પછી બધી માહિતી તમારી સામે આવી જશે.
જો રજિસ્ટ્રેશન નંબર ન હોય તો, એડવાન્સ સર્ચ પર ક્લિક કરો.
ફોર્મ ભરો. Search પર ક્લિક કરો.
જો નામ PMAY-G લિસ્ટમાં છે, તો પછી સંબંધિત બધી વિગતો દેખાશે.
કઈ રીતે સરકાર બનાવે છે લિસ્ટ
સરકાર પીએમવાયવાય હેઠળ લોકોને ઓળખાવવા માટે Census 2011 વસ્તી ગણતરીનો ડેટા લે છે.