બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Bijal Vyas
Last Updated: 07:24 PM, 9 May 2023
બની શકે છે કે, આજે આપણે જે કરી રહ્યા છીએ, આવનારા 40 કે 50 વર્ષમાં લોકોને તે વિચિત્ર લાગશે? આવુ બની શકે છે. આવો આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. અત્યાર સુધી તમે પણ જોયું જ હશે કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ડોક્ટરો તેને ઊંધું પકડી રાખતા હતા અને પછી બાળકને થપ્પડ મારીને રડાવતા હતા. પરંતુ હવે આ બિલકુલ કરવામાં આવતું નથી. બીજી ઘણી વસ્તુઓ છે, જે સમય સાથે બદલાઈ છે.
બાળકનો જન્મ થતાં જ તેને મધનો સ્વાદ ચખાડવામાં આવે છે. કદાચ તમે પણ જ્યારે નવજાત હતા ત્યારે તમારા માતા-પિતા કે તેમના વડીલોએ તમને મધ ખવડાવ્યું હશે.પરંતુ હવે ડોક્ટરોએ મનાઈ કરી છે. આવો નિષ્ણાતો પાસેથી જાણીએ કે, શા માટે નવજાત શિશુને મધ ન આપવું જોઈએ. આ સાથે નિષ્ણાતો પાસેથી એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે બાળકને કઈ ઉંમરે મધ ચાખવું જોઈએ.
નવજાત બાળકને મધ કેમ ચટાડવામાં આવે છે?
વાસ્તવમાં, નવજાત બાળકોને મધનો સ્વાદ ચખાડવો એક સંસ્કાર વિધિ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, મધ સખત મહેનતનું પરિણામ છે. નવજાત બાળકોને મધ ચાટવાથી બાળકના જીવનમાં મધ જેવું સુખ અને મધુરતા રહે તેવી કામના કરવામાં આવે છે. આ તો ધાર્મિક વિધિઓની વાત છે પરંતુ આવો તમને જણાવીએ કે, નવજાત બાળકોને મધ કેમ ન ચાટવું જોઈએ.
મધમાં ખતરનાક બેક્ટેરિયા
એક કારણ એ છે કે બજારોમાં મળતા મધમાં ઘણા બધા કેમિકલ હોય છે. બીજું કારણ એ છે કે મધમાં એવા બેક્ટેરિયા હોય છે, જે નવજાત શિશુમાં બોટ્યુલિઝમ નામની બીમારીનું કારણ બની શકે છે. તેના કારણે બાળકોના મોતનો પણ ખતરો રહે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, મધમાં બેક્ટેરિયા હોઈ શકે છે જે શિશુમાં બોટ્યુલિઝમનું કારણ બની શકે છે. એટલા માટે 12 મહિનાથી નાના બાળકોને એટલે કે એક વર્ષ સુધી મધ ન ખવડાવો. મધ 1 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે સલામત છે.
બોટ્યુલિઝમ બીમારી શું છે?
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, બોટ્યુલિઝમએ એક દુર્લભ પરંતુ ખતરનાક બીમારી છે જે ઝેરને કારણે થાય છે. આ ઝેર પોતે જ શરીરના જ્ઞાનતંતુઓ પર હુમલો કરે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, માંસપેશીઓનો લકવો અને મૃત્યુનું પણ જોખમ રહેલું છે. આ ઝેર ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ અને ક્યારેક ક્લોસ્ટ્રિડિયમ બ્યુટિરિકમ અને ક્લોસ્ટ્રિડિયમ બેટરી બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. આ બેક્ટેરિયા ખોરાક, ઘા અને શિશુના આંતરડામાં ઝેરનું ઉત્પાદન કરી શકે છે.
જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
બાળરોગ નિષ્ણાત કહે છે કે, જન્મથી લઈને 6 મહિના સુધી બાળકને ખોરાક તરીકે માતાના દૂધ સિવાય બીજું કંઈ ન આપવું જોઈએ. આનાથી નવજાત બાળકના સ્વાસ્થ્યને નુકસાન થાય છે, બાળકને અન્ય કોઈપણ ખોરાકથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે, જે ગંભીર બીમારીનું કારણ બની શકે છે. મૃત્યુની પણ સંભાવના છે.
પીડિયાટ્રિશિયન કહે છે કે, નાના બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. તેમને પ્રારંભિક ચેપનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં માતાના દૂધ સિવાય બીજું કંઈ ન આપવું જોઈએ. જન્મ પછી ઓછામાં ઓછા આઠ મહિના સુધી આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh