બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / ગુજરાત / 'જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું' હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર તાક્યુ નિશાન
Last Updated: 10:35 PM, 27 April 2024
લોકસભા ચૂંટણીના બીજા તબક્કા બાદ હવે ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. તો બીજી તરફ પક્ષ-વિપક્ષ એકબીજા પર આકારા પ્રહારો કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના ટ્વીટર એકાઉન્ટ પર રાહુલ ગાંધીનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેને લઈ ફરી રાજકારણ ગરમાયું છે.
કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ ની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું. pic.twitter.com/KXZBfJWBak
— Harsh Sanghavi (Modi ka Parivar) (@sanghaviharsh) April 27, 2024
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર નિશાન તાક્યું છે, જેમણે એક વીડિયો ટ્વીટ કરી લખ્યું છે કે, ''કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ ની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું''. અત્રે જણાવીએ કે, જે વીડિયોમાં રાહુલ ગાંધી રાજા-રજવાડા વિશે બોલી રહ્યા છે. જેમાં રાહુલ ગાંધી કહી રહ્યાં છે કે, રાજા-મહારાજાઓ જમીનો હડપી લેતા હતા. જો કે, અત્યારે આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેના પગલે રાહુલ ગાંધીની મુસીબત વધી શકે છે.
વાંચવા જેવું: 400 પાર થાય તો બંધારણ બદલી શકાય? અનામતને લઇન કોંગ્રેસના સવાલો પર ભાજપનો જવાબ શું?
હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીનો વીડિયો ટ્વીટ કર્યો છે, જેને લઈ અનેક કોમેન્ટ પણ આવી રહી છે. અત્રે જણાવીએ કે, ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા કરેલી ટીપ્પણીનો વિવાદ હજુ સમ્યો નથી. તેવામાં હવે કોંગ્રેસ નેતાએ રાજા-રજવાડાને લઈ ટીપ્પણી કરી છે. ત્યારે પરષોત્તમ રૂપાલાની જેમ રાહુલ ગાંધીની મુશ્કેલી વધે તો નવાઈ નહી કહેવાય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT