બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / આરોગ્ય / health dont eat these 5 things with curd consumption of fish and curd together harmful
Manisha Jogi
Last Updated: 08:50 AM, 11 November 2023
દહીં અને માછલી એકસાથે ખાવા જોઈએ કે, તે બાબતે લોકો મૂંઝવણમાં રહે છે. ભારતમાં મોટાભાગના લોકો દહીં અને માછલીનું એકસાથે સેવન કરવાની ના પાડતા હોય છે. આયુર્વેદ અનુસાર દહીંની સાથે અન્ય વસ્તુઓ મિશ્ર કરીને પણ તેનું સેવન ના કરવું જોઈએ. દહીંમા સારા બેક્ટેરિયા હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. દહીમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન બી6 અને વિટામીન બી 12 સહિત ઘણા પોષક તત્ત્વો સામેલ હોય છે.
દહીં અને માછલી- આયુર્વેદ અનુસાર દહીં અને માછલી વિરુદ્ધ આહાર છે. મેડિકલ સાયન્સ અનુસાર દહીં અને માછલીમાં અલગ-અલગ પ્રકારના પ્રોટીન હોય છે. આ પ્રોટીનનું એકસાથે સેવન કરવાથી પાચનમાં સમસ્યા થઈ શકે છે. જેના કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થાય છે. આયુર્વેદ અનુસાર, અયોગ્ય પાચનને કારણે, અગ્નિબંધ થઈ શકે છે, જેથી ત્વચા પર ફોલ્લીઓ થાય છે.
ડુંગળી અને દહીં- આયુર્વેદ અનુસાર ડુંગળી અને દહીં સાથે ના ખાવા જોઈએ. ડુંગળીની તાસીર ગરમ હોય છે અને દહીંની તાસીર ઠંડી હોય છે. ડુંગળી અને દહીંનું એકસાથે સેવન કરવાથી એલર્જી, ખરજવું, સોરાઈસીસ અને ફોલ્લીઓ થઈ શકે છે.
દહીં અને ઓઈલી ફૂડ- દહીંની સાથે તળેલો ખોરાક જેમ કે, છોલે-ભટુરે, પરોઠા, પુરીનું સેવન ના કરવું જોઈએ. જેના કારણે પાચનની સમસ્યા થઈ શકે છે. દહીં સાથે આ વસ્તુઓ શરીર સુસ્ત બની જાય છે.
દહીં અને કેરી- દહીં અને કેરી સાથે ખાવાથી નુકસાન થઈ શકે છે, પેટ ફૂલવા લાગે છે અને ગેસ થાય છે. કેરીની તાસીર ગરમ હોય છે અને દહીં ઠંડક પ્રદાન કરે છે. જેના કારણે પાચનની સમસ્યા થઈ શકે છે. તેનાથી ત્વચા પર ફોલ્લીઓ થાય છે. દહીં અને કેરીનું એકસાથે સેવન કરવાથી ટોક્સિન બનવા લાગે છે.
દૂધ અને દહીં- દૂધ અને દહીં એકસાથે ના ખાવા જોઈએ. જેના કારણે એસિડિટી, હાર્ટબર્ન અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime