બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ''...ત્યાં સુધી હું બધાને સારી લાગું છું'', પ્રેમલગ્ન બાદ ધમકી આપનારાઓને કિંજલ રબારીનો જવાબ
Last Updated: 12:58 PM, 13 March 2026
ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા પછી રોજ ચર્ચામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર નવા વીડિયોમાં કિંજલે ધમકીઓ મળવાનો આરોપ લગાવ્યા છે સાથે જ કહ્યું કે જ્યાં સુધી સમાજ માટે કંઈક કરું તો બધાને સારી લાગું છુ અને પોતાના માટે કંઈક કરું તો બધા માટે ખોટી થઈ જાવ છું.એમાં પણ સમાજના લોકોએ એવું કહ્યું કે અમે સમાજની દીકરીઓને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક બધુ યુઝ કરવાનું બંધ કરાવી દેશું તો આ નિયમ ફક્ત દિકરીઓ માટે કેમ છે.
ADVERTISEMENT
કિંજલ રબારીએ જણાવ્યું કે તેમણે પોતાની ઈચ્છાથી અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે અને હાલમાં તેઓ તેમના સાથે ખુશીથી રહે છે. જોકે આ લગ્નને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે અને ધમકીઓ પણ આપી રહ્યા છે. કિંજલે વીડિયોમાં કહ્યું કે જો તેમને અથવા તેમના પતિને કોઈ નુકસાન થાય તો તેની જવાબદારી તેમના પરિવાર પર રહેશે. તેમણે લોકોને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે અને પોલીસ પ્રોટેક્શનની માંગ પણ કરી છે.
ADVERTISEMENT
મે જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું. છતા પણ અમુક લોકોએ સોશિયલ મીડિયા પર વિરોધ કરવાનું ચાલું કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે કે મારી નાંખીશું, ઉપાડી જઈશું.. મને એ નથી સમજાતું જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું એમના માટે કંઈક કરી રહી છું ત્યાં સુધી હું બધાને સારી લાગું છું. જ્યારે મે મારી લાઈફ માટે એક ડિસીઝન લીધું છે એમા હું ખોટી થઈ જાવ છું ખરાબ થઈ જાવ છું.. એમાં પણ સમાજના લોકોએ એવું કહ્યું કે અમે સમાજની દીકરીઓને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક બધુ યુઝ કરવાનું બંધ કરાવી દેશું તો આ નિયમ ફક્ત દિકરીઓ માટે કેમ છે. દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની સ્ત્રીને લઈને આવે ત્યારે બધુ સ્વીકાર્ય છે પણ એ જ કામ દીકરી કરે તો આપણે એનો વિરોધ કરીયે છીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
કિંજલ રબારીએ એવો પણ દાવો કર્યો છે કે તેમના પતિ પર હુમલો થયો હતો. આ કારણે તેમને અને તેમના પતિને જીવનું જોખમ હોવાની આશંકા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે કાનૂની સલાહ લીધી છે અને પોલીસ પાસે સુરક્ષા માટે અરજી પણ કરી છે.
ADVERTISEMENT
કિંજલ રબારીએ જણાવ્યું કે, જો તેમને કે તેમના પતિને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તેની જવાબદારી તેમના પરિવાર પર રહેશે. સાથે સાથે તેમણે લોકોને અપીલ કરી કે તેમના લગ્નને લઈને કોઈપણ પ્રકારની ખોટી વાતો અથવા અફવાઓ ફેલાવવી નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.