બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તલાટી કમ મંત્રીઓ માટે સૌથી મોટા સમાચાર, દ્વિતિય પગાર ધોરણમાં પરીક્ષાથી મુક્તિ
Last Updated: 11:24 PM, 26 February 2026
Talati Cum Mantri : તલાટી કમ મંત્રીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્યના પંચાયત વિભાગ હેઠળ કાર્યરત તલાટી કમ મંત્રીઓ માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સત્તાવાર ઠરાવ મુજબ હવે તલાટી કમ મંત્રીઓને દ્વિતિય ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા માટે ખાતાકીય પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં.
ADVERTISEMENT


ADVERTISEMENT
ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ
આ ઠરાવ અનુસાર નાયબ ચીટનીસ તરીકે લેવામાં આવતી ખાતાકીય પરીક્ષામાંથી તલાટી કમ મંત્રીઓને મુક્તિ આપવામાં આવી છે. અગાઉ આ પરીક્ષા પાસ કરવી જરૂરી હતી, પરંતુ હવે દ્વિતિય પગાર ધોરણ માટે તે શરત હટાવવામાં આવી છે. આ નિર્ણયથી અનેક કર્મચારીઓને રાહત મળશે અને તેમની સેવા પ્રગતિ વધુ સરળ બનશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બઢતી માટે પરીક્ષા જરૂરી રહેશે
જો કે, તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે બઢતી મેળવવા માટે ખાતાકીય પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. એટલે કે ઉચ્ચ હોદ્દા માટેની લાયકાતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પંચાયત હસ્તક આવતા તલાટી કમ મંત્રીઓ લાંબા સમયથી આ મુદ્દે રજૂઆતો કરી રહ્યા હતા. હવે સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં સંતોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.