બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 150મી જન્મજયંતિ: કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરતા PM મોદી, આજે સંબોધન
Last Updated: 09:33 AM, 31 October 2025
Sardar Vallabhbhai Patel Jayanti : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સવારે 8:10 વાગ્યે વડાપ્રધાન કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા અને સરદાર પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યું હતું. દેશના એકીકરણમાં સરદાર પટેલના અદ્વિતીય યોગદાનને યાદ કરતાં વડાપ્રધાને ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના ઉજાગર કરી.
ADVERTISEMENT
મહત્વનું છે કે, ભલે સવારથી એકતાનગર વિસ્તારમાં હળવો વરસાદ વરસી રહ્યો હોય, તોય પણ તંત્ર અને સુરક્ષા દળો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો છે. પુષ્પાંજલિ અર્પણ બાદ વડાપ્રધાન મોદીએ ‘એકતા પરેડ’માં હાજરી આપી છે.
ADVERTISEMENT
સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતાનગરમાં એકતા પરેડ, PM મોદીએ લેવડાવ્યા શપથ #SardarPatel #SardarVallabhbhaiPatel #IronManOfIndia #RashtriyaEktaDiwas #UnityDay #SardarPatelJayanti #EkBharatShreshthaBharat #StatueOfUnity #IndiaUnity #SardarPatel150#NationalUnityDay… pic.twitter.com/hNJ6M4yizu
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 31, 2025
મહત્વનું છે કે, થોડીવારમાં PM મોદી દેશને સંબોધન કરી રહ્યા છે. પરેડ દરમિયાન રાષ્ટ્રીય એકતા, સંકલન અને સૌહાર્દના સંદેશ સાથે વિવિધ રાજ્યોના દળોએ પ્રદર્શન કર્યું છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં સરદાર પટેલના વિચારોને આજના યુગમાં પ્રાસંગિક ગણાવ્યા અને યુવાનોને દેશની એકતા અને વિકાસ માટે સમર્પિત થવાનો સંદેશ આપ્યો. આ સાથે આજે ગુજરાત કેડરના IPS અધિકારી સિમરન ભારદ્વાજે ગાર્ડ ઓફ ઓનર લીડ કર્યું છે.
ADVERTISEMENT
સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે PM મોદી કેવડિયામાં, કરાઇ પુષ્પાંજલિ અર્પણ#SardarVallabhbhaiPatel #IronManOfIndia #StatueOfUnity #RashtriyaEktaDiwas #Gujarat #GujaratiNews #RunForUnity #EkBharatShreshthaBharat #UnityDay #NationalUnityDay #PMModi #Kewadia #Narmada #BSF… pic.twitter.com/gAmDXlAWV8
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 31, 2025
સવારે 10:45 વાગ્યે પીએમ મોદીએ ‘આરંભ 7.0’ના સમાપન પ્રસંગે તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો અને તેમને રાષ્ટ્રસેવામાં નવી પ્રેરણા આપી. આ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન બપોરે 12:20 વાગ્યે કેવડિયાથી વડોદરા પહોંચશે અને ત્યાંથી બપોરે 1:00 વાગ્યે દિલ્હી માટે રવાના થવાના છે.
ADVERTISEMENT
એકતા પરેડમાં શરણાઇના સૂર પર રાષ્ટ્રગીત સાથે PM મોદીએ સરદાર પટેલને અર્પી શ્રદ્ધાંજલિ#SardarVallabhbhaiPatel #IronManOfIndia #StatueOfUnity #RashtriyaEktaDiwas #Gujarat #GujaratiNews #RunForUnity #EkBharatShreshthaBharat #UnityDay #NationalUnityDay #PMModi #Kewadia #Narmada #BSF… pic.twitter.com/kX69Udj7fj
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 31, 2025

ADVERTISEMENT
આ પણ વાંચો : દેશના એક એવા ગૃહમંત્રી જેમના મૃત્યુ સમયે ખાતામાં હતા માત્ર 250 રૂપિયા
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, વિચારો અને ભારતના એકીકરણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરતો એક પ્રેરણાદાયક વીડિયો પણ શેર કર્યો છે. એકતાનગરમાં આજે રાષ્ટ્રીય ગૌરવ, દેશભક્તિ અને એકતાનો અનોખો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જ્યાં દરેક ભારતીય હૃદય સરદાર પટેલના અવિસ્મરણીય સંદેશ "એક ભારત, શ્રેષ્ઠ ભારત" ને ફરીથી અનુભવી રહ્યું છે.
ADVERTISEMENT
India pays homage to Sardar Vallabhbhai Patel on his 150th Jayanti. He was the driving force behind India’s integration, thus shaping our nation’s destiny in its formative years. His unwavering commitment to national integrity, good governance and public service continues to… pic.twitter.com/7quK4qiHdN
— Narendra Modi (@narendramodi) October 31, 2025
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.