બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અમિત ખૂંટ આપઘાત કેસમાં વધુ એક વળાંક, સગીરાના પિતાએ જયરાજસિંહ પરના આરોપ વિશે આપ્યું ચોંકાવનારુ નિવેદન
Last Updated: 02:07 PM, 12 June 2025
રાજકોટના રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. સગીરાના પિતાએ તેમને કે તેમના પરિવારને કોઇપણ પ્રકારની ધમકી મળ્યાની વાત નકારી દીધી છે..
ADVERTISEMENT
હજુ બે દિવસ પહેલાજ અદાલતમાં સગીરાએ નિવેદન આપ્યું હતું કે તેને અને તેના પરિવારને જયરાજસિંહ અને તેના માણસો દ્વારા વારંવાર ધમકીઓ મળી રહી છે..સગીરાએ એવું પણ કહ્યું હતું કે જયરાજસિંહના માણસો દ્વારા તેને લખીને અપાયું હતું કે તારે અદાલતમાં આ જ બોલવાનું છે.. સગીરાએ મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું કે મને જયરાજસિંહના માણસો દ્વારા ધમકી આપીને અદાલતમાં જે બોલવાનું કહ્યું હતું કે તે હું નથી બોલી પરંતુ જે સાચે સાચુ હતું તે કહી દીધું છે.. તેણે વધુમાં કહ્યું હતું કે તેણે અદાલતમાં એ પણ કહી દીધું છે કે તેને અને તેના પરિવારને જયરાજસિંહના માણસો દ્વારા વારંવાર ધમકીઓ મળી રહી છે.. હવે ખુદ સગીરાના પિતાએ જ સગીરાના નિવેદનને ખોટુ ઠેરવતું નિવેદન આપતા આ કેસમાં મોટો વળાંક આવ્યો છે.
ADVERTISEMENT
અગાઉ સગીરાએ કોર્ટમાં શું કહ્યું હતું તે જાણવા માટે આ આર્ટીકલ વાંચો
અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક, આરોપી સગીરાએ કોર્ટમાં આ નેતા પર મુક્યા ગંભીર આક્ષેપ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, 3 મેના રોજ રાજકોટ શહેરમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 5 મે, 2025એ દુષ્કર્મના આરોપી અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી, જેમાં લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ અને રાજદિપસિંહનો હાથ છે. ઉલ્લેખનીય છે કે મૃતક અમિત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.