બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઈન્ડિગો ફ્લાઈટ વિવાદ: અમદાવાદમાં યુવતી રડી પડી, 37 ટ્રેનમાં 116 વધારાના કોચ લગાવાયા
Last Updated: 03:04 PM, 6 December 2025
Indigo Airlines Crisis: દેશની સૌથી મોટી એરલાઇન Indigoમાં ભારે અવ્યવસ્થાને કારણે દેશભરમાં હવાઈ મુસાફરી પર ભારે અસર પડી રહી છે. દેશભરના કેટલાય એરપોર્ટ્સ પરથી અનેક ફ્લાઇટ્સ કેન્સલ થવાને કારણે હજારો મુસાફરો અટવાઈ ગયા છે. આજે સતત ચોથો દિવસ છે કે ઇન્ડિગો એરલાઇન્સની સમસ્યા ચાલી રહી છે. ઇન્ડિગોની ફ્લીટ અને કનેક્ટિવિટી નેટવર્કને કારણે, દેશભરમાં તેની અસર જોવા મળી છે.
ADVERTISEMENT
એવામાં એક દિવસ અગાઉ ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સે શુક્રવારે એક વીડિયો મેસેજ જારી કરીને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં કંપનીના કામકાજ પર નોંધપાત્ર અસર પડી છે. ઇન્ડિગોનું સમગ્ર નેટવર્કને ફરીથી સામાન્ય કરવા માટે રીબૂટ કરવામાં આવી રહ્યું છે. તેથી, જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તેમને એરપોર્ટ પર આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. અમે ગંભીર ઓપરેશનલ પડકારોનો સામનો કરી રહ્યા છીએ. આ મુશ્કેલ સમય છે, અને અમે તેમને ઉકેલવા માટે અથાક મહેનત કરી રહ્યા છીએ. સીઇઓએ એમ પણ જણાવ્યું કે કંપની 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે સામાન્ય કામગીરી ફરી શરૂ થવાની અપેક્ષા રાખે છે. મુસાફરોએ લેટેસ્ટ અપડેટ્સ માટે તેમની ફ્લાઇટ્સનું સ્ટેટસ ચેક કરવું જોઈએ.
Message from Pieter Elbers, CEO, IndiGo. pic.twitter.com/bXFdqoB0Q2
— IndiGo (@IndiGo6E) December 5, 2025
ADVERTISEMENT
ગઇકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર કુલ 155 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી. જ્યારે આજે પણ છેલ્લા 12 કલાકમાં 66 ફ્લાઇટ્સ કેન્સલ થઈ ચૂકી છે. અમદાવાદથી જતી અને આવતી 59 ફ્લાઇટ્સ કેન્સલ થઈ ચૂકી છે. ત્યારે ઘણી ફ્લાઇટ્સ લેટ ચાલી રહી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ કેન્સલ થતા એક યુવતી રડી પડી હતી. ફ્લાઇટ્સ કેન્સલ થવાના કારણે એરપોર્ટ પરિસરની અંદર અને બહાર મુસાફરોને અસુવિધા થઈ. ઘણા મુસાફરોએ જણાવ્યું કે તેમને એરલાઇન તરફથી સમયસર અને સચોટ માહિતી મળી રહી નથી.

ADVERTISEMENT
ફ્લાઇટ કેન્સલ થવાથી મોટી સંખ્યામાં લોકોએ ટ્રેન મુસાફરીનો સહારો લીધો. ત્યારે રેલવેએ એક મોટું પગલું ભરીને દેશભરની 37 પ્રીમિયમ ટ્રેનોમાં 116 વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયે જણાવ્યું કે સૌથી મોટો વધારો 18 ટ્રેનોમાં કરવામાં આવ્યો, જેમાં ચેર કાર અને સ્લીપર ક્લાસ કોચ એડ કરવામાં આવ્યા. આ સુવિધા આજથી જ અમલમાં મૂકાઈ ગઈ છે. સાથે જ આઠ અન્ય ટ્રેનોમાં 3AC અને ચેર કાર કોચ ઉમેરવામાં આવ્યા છે. ચાર વ્યસ્ત ટ્રેનોમાં 3AC/2AC કોચ ઉમેરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો: આજે પણ અમદાવાદ-વડોદરાની 25 ફ્લાઈટ કેન્સલ, અમદાવાદથી દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન
ADVERTISEMENT
સાથે જ ભારતીય રેલવેએ તાત્કાલિક આયોજન હેઠળ અમદાવાદથી દિલ્હી માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન સાબરમતીથી પ્રસ્થાન કરી દિલ્હી સુધી મુસાફરી કરાવશે. આ નિર્ણયથી ખાસ કરીને તે મુસાફરોને રાહત મળશે, જેઓ ફ્લાઇટ કેન્સલ થવાને કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.