બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:13 PM, 20 June 2026
લોકોને ચિંતામાં મૂકતી એક મોટી હવામાન ઘટના ફરી ચર્ચામાં આવી છે. દુનિયાભરના ઘણા દેશોમાં ક્યાંક ભારે ગરમી તો ક્યાંક આંધી-તોફાન અને અતિશય વરસાદ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભારતમાં પણ ચોમાસાની ગતિ ધીમી પડતાં ખેડૂતો સહિત સામાન્ય લોકોમાં ચિંતા વધી છે. આ વચ્ચે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે સપ્ટેમ્બર મહિનામાં 'અલ નીનો' નામની હવામાન પ્રણાલી વધુ શક્તિશાળી બની શકે છે, જેને કેટલાક હવામાન નિષ્ણાતો 'ગોડઝિલા અલ નીનો' તરીકે પણ ઓળખાવી રહ્યા છે.
ADVERTISEMENT
વિશ્વભરમાં બદલાતા હવામાન વચ્ચે હવે 'અલ નીનો' ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે. ભારતના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં આંધી-તોફાન અને ભારે વરસાદના કારણે જાનહાનિના બનાવો પણ સામે આવ્યા છે. આ દરમિયાન કેરળમાં પહોંચેલું ચોમાસું પણ અપેક્ષિત ગતિએ આગળ વધી રહ્યું નથી, જેના કારણે ખેડૂતો અને હવામાન નિષ્ણાતોની ચિંતા વધી છે.
હવામાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે સપ્ટેમ્બર મહિનામાં 'અલ નીનો' તેની સૌથી મજબૂત સ્થિતિમાં પહોંચી શકે છે. કેટલાક નિષ્ણાતો તેને 'ગોડઝિલા અલ નીનો' તરીકે ઓળખાવી રહ્યા છે, કારણ કે તેની અસર ખૂબ વ્યાપક અને ગંભીર હોઈ શકે છે.
ADVERTISEMENT
અલ નીનો એ એક કુદરતી હવામાન પ્રણાલી છે, જેમાં મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરના પાણીનું તાપમાન સામાન્ય કરતાં વધારે વધી જાય છે. આ ઘટના સામાન્ય રીતે દર બેથી સાત વર્ષે જોવા મળે છે અને તેની અસર દુનિયાભરના હવામાન પર પડે છે.
ADVERTISEMENT
El Niño typically has a warming effect on global temperatures, with the strongest influence often felt in the year after it develops.
— World Meteorological Organization (@WMO) June 9, 2026
It typically brings wetter conditions to some regions and drought to others, though effects vary around the world.
More 👉 https://t.co/jMd3hGUX7x pic.twitter.com/ZDTJUE3YVx
જ્યારે અલ નીનો સક્રિય થાય છે ત્યારે સમુદ્ર અને વાતાવરણની સ્થિતિમાં ફેરફાર થાય છે. તેના કારણે વરસાદની પદ્ધતિ બદલાઈ શકે છે, કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ સર્જાઈ શકે છે અને કેટલાક પ્રદેશોમાં જંગલોમાં આગ જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે.
ADVERTISEMENT
વિશ્વ હવામાન સંગઠન (WMO) અનુસાર સપ્ટેમ્બર દરમિયાન અલ નીનો વધુ મજબૂત બની શકે છે. તેની અસર ભારતના ચોમાસા પર પણ પડી શકે છે. જો અલ નીનો વધુ પ્રબળ બનશે તો દેશમાં વરસાદનું પ્રમાણ ઘટી શકે છે અને ચોમાસું નબળું પડી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો- ગુજરાત સહિત 8 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી
અલ નીનો સમુદ્રના મોટા ભાગને વધુ ગરમ બનાવે છે, જેના કારણે વૈશ્વિક સરેરાશ તાપમાનમાં પણ વધારો થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 2026ના અંત અને 2027 દરમિયાન વિશ્વના તાપમાનમાં નવા રેકોર્ડ સર્જાઈ શકે છે.
ADVERTISEMENT
કેટલાક હવામાનશાસ્ત્રીઓ ખૂબ જ શક્તિશાળી અલ નીનોને 'ગોડઝિલા અલ નીનો' તરીકે ઓળખાવે છે. ગોડઝિલા એક કાલ્પનિક વિશાળ ડાયનાસોર જેવું પ્રાણી છે, જે વિનાશક શક્તિ માટે જાણીતું છે. તેવી જ રીતે અત્યંત મજબૂત અલ નીનો હવામાનમાં મોટા ફેરફારો લાવી શકે છે અને તેના કારણે ગરમી, દુષ્કાળ તથા વરસાદની અનિશ્ચિતતા વધવાની શક્યતા રહે છે.
આથી આગામી મહિનાઓમાં અલ નીનોની સ્થિતિ પર સમગ્ર વિશ્વના હવામાન નિષ્ણાતો નજર રાખી રહ્યા છે, કારણ કે તેની અસર માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોના હવામાન પર પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.