બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજથી Jagdish Vishwakarma નું ગુજરાત ભ્રમણ, અંબાજી માતાજીના દર્શન કરીને પ્રવાસનો કરશે પ્રારંભ
Last Updated: 07:11 AM, 10 October 2025
Jadgish Vishvakarma Gujarat Tour: ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તથા રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માના પ્રવાસ દરમિયાન અનેક વરિષ્ઠ નેતાઓ પણ જોડાશે. 11 ઓક્ટોબરે સુરતમાં સી.આર. પાટીલ તેમની સાથે રહેશે, જ્યારે 14 ઓક્ટોબરે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે. પ્રદેશ પ્રમુખ તરીકે વિશ્વકર્માએ ફૂલહારને બદલે વિદ્યાભ્યાસના ચોપડા અને પુસ્તકો સ્વીકારવાની અનોખી પહેલ કરી છે. આ પુસ્તકો બાદમાં જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે, જે શિક્ષણ પ્રત્યેની તેમની સંવેદનશીલ દૃષ્ટિ દર્શાવે છે. આ પ્રવાસ દરમિયાન જગદીશ વિશ્વકર્મા રાજ્યભરના કાર્યકર્તાઓ સાથે સીધી મુલાકાત કરશે અને કુલ 6 મહાસંમેલનોમાં તેમને સંબોધશે.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
વધુ વાંચો: વિશ્વ વિક્રમ સર્જાયો, PM મોદીના જન્મદિવસથી અત્યાર સુધીમાં લખવામાં આવ્યા
ADVERTISEMENT

ADVERTISEMENT
બાવળા, બગોદરા, લીમડી, સાયલા, ચોટીલા અને કૂવાડવા જેવા માર્ગમાં આવતા અનેક ગામોમાં કાર્યકર્તાઓ દ્વારા જગદીશ વિશ્વકર્માનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવશે. 17 ઓક્ટોબરે તેઓ અમદાવાદ ખાતે લેઉવા પટેલ સમાજ સંમેલનમાં હાજરી આપશે અને ત્યારબાદ અમદાવાદ રિવરફ્રન્ટમાં કાર્યકર્તા મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે. સમગ્ર પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે રાજકોટ જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે, ગુજરાત ભાજપ પ્રદેશ સહપ્રવક્તા ડૉ. ઋત્વિજ પટેલ અને ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઇ નિયુક્ત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.