બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્કૂલમાં દાળ-ભાત જમ્યા બાદ 35થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, વાલીઓ ચિંતામાં
Last Updated: 11:11 AM, 20 January 2026
Banaskantha Palanpur Food Poisoning: બનાસકાંઠાના પાલનપુરના જગાણાની એક સ્કૂલમાં એક સાથે 35 વિદ્યાર્થીઓ ફૂડ પૉઇઝનિંગનો ભોગ બન્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્કૂલમાં દાળ-ભાત જમ્યા પછી આ વિદ્યાર્થીઓને અસર થઈ હતી અને જેના લીધે વાલીઓ ચિંતામાં મુકાયા છે.
ADVERTISEMENT
પાલનપુરના જગાણાની એકલવ્ય મોડલ સ્કૂલમાં 35 વિદ્યાર્થીઓ એક સાથે ફૂડ પૉઇઝનિંગનો શિકાર થયા છે. આ બાળકોને બપોરના ભોજનમાં દાળ ભાત પીરસવામાં આવ્યા હતા જે બાદ વિદ્યાર્થીઓની તબિયત અચાનક જ ખરાબ થવા લાગી હતી. અને એક પછી એક 30-35 બાળકોને અસર થતાં સ્કૂલ સંચાલકો અને શિક્ષકો દોડતા થયા હતા. બપોરે જમ્યા પછી ફૂડ પૉઇઝનિંગની અસર થતાં બાળકોની તબિયત બગડતા, ઊલટીઓ થતાં જ બાળકોને તાત્કાલિક સારવાર અર્થએ પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.

ADVERTISEMENT
તબિયત બગડતા વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલ લઈ જવાતા તરત જ તેમને એડમિટ કરીને બોટલો ચડાવવાની જરૂર પડી હતી. એક સાથે 35 બાળકોની તબિયત લાથડતા સ્કૂલ અને હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ આ અંગે વાલીઓને જાણ થતાં વાલીઓમાં પણ ચિંતા અને ભાગદોડ થઈ હતી.
આ ઘટનાની જાણ થતાં જ રાતે આરોગ્ય અધિકારી તેમજ પ્રાંત અધિકારીઓ પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ અંગે જાણકારી મેળવી હતી અને યોગ્ય તપાસ માટે બાંહેધરી આપી હતી. અન્ર આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા જેના પરથી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
છેલ્લી મળતી માહિતી મુજબ હાલ આ તમામ બાળકોની હાલત સ્થિર છે અને અન્ય કોઈ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું નથી. પણ બીજી તરફ શાળામાં ભોજનના લીધે બાળકોની તબિયત ખરાબ થતાં તંત્ર સામે પ્રશ્નો અને અન્ય વાલીઓમાં ભય પણ છવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.