બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / નર્મદા ડેમની જળ સપાટી 126 મીટરે પહોંચી, 16 હજાર ક્યુસેક પાણીની થઇ આવક

VIDEO / નર્મદા ડેમની જળ સપાટી 126 મીટરે પહોંચી, 16 હજાર ક્યુસેક પાણીની થઇ આવક

Nidhi Panchal

Last Updated: 10:46 AM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત માટે રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધવાના કારણે ખેડૂતોને પણ ખેતીમાં ફાયદો થશે

ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ચોમાસાની સિઝનમાં મધ્યપ્રદેશ સહિતના ઉપરવાસ વિસ્તારોમાં સારો વરસાદ થતા નર્મદા નદીમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે ડેમની જળસપાટી પણ ધીમે ધીમે ઉપર જઈ રહી છે.

narmda

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 126.79 મીટર

હાલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 126.79 મીટર સુધી પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધવાના કારણે ડેમમાં હાલમાં 16755 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. પાણીની વધતી આવકને ધ્યાનમાં રાખીને ડેમના સંચાલન તંત્ર દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે. મધ્યપ્રદેશ સ્થિત ઓમકારેશ્વર ડેમ અને ઈન્દિરાસાગર ડેમના પાવર હાઉસ શરૂ કરવામાં આવ્યા છે. ઉપરવાસના આ મહત્વના ડેમોમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને તેનો સીધો લાભ સરદાર સરોવર નર્મદા ડેમને મળી રહ્યો છે. પાણીની સતત આવકને કારણે ડેમના જળસંગ્રહમાં વધારો થઈ રહ્યો છે.

પાવરહાઉસના 3 યુનિટ પણ શરૂ

ડેમની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા ડેમના CHPH પાવરહાઉસના 3 યુનિટ પણ શરૂ કરવામાં આવ્યા છે. પાણીની ઉપલબ્ધતા વધતા વીજ ઉત્પાદન અને જળ વ્યવસ્થાપન બંને ક્ષેત્રોમાં કામગીરી વધુ સક્રિય બની છે. ગુજરાત માટે સૌથી મહત્વની બાબત એ છે કે સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે મેઈન કેનલમાં હાલમાં 16223 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતો માટે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ રહે અને લોકોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે આ પાણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ડેમમાં કુલ 3324 MCM લાઈવ સ્ટોરેજ પાણી ઉપલબ્ધ

હાલ નર્મદા ડેમ 57 ટકા ભરાયેલો છે. ડેમમાં કુલ 3324 MCM લાઈવ સ્ટોરેજ પાણી ઉપલબ્ધ છે, જે રાજ્યની પાણીની જરૂરિયાત માટે મહત્વનો જળસંગ્રહ માનવામાં આવે છે. ચોમાસા દરમિયાન પાણીની આવકમાં વધુ વધારો થવાની શક્યતા વચ્ચે ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : એલાયન્સ એરની જાહેરાત, પોરબંદરથી અને અમદાવાદથી મુંબઈ સુધીની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે

નર્મદા ડેમમાં વધી રહેલી પાણીની આવક અને જળસપાટીમાં થયેલો વધારો ગુજરાત માટે સારા સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. ડેમમાં પાણીનો જથ્થો વધવાથી સિંચાઈ, પીવાના પાણી અને વીજ ઉત્પાદન માટે રાજ્યને આગામી દિવસોમાં વધુ રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Narmada Dam Sardar Sarovar Dam Gujarat Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ