બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના વેજલપુરમાં રહેણાંકના ઘરમાં આગ લાગતાં પિતા-પુત્ર જીવતા બળ્યાં, મધરાતે સુતા હતા ત્યારે ફાટી નીકળી આગ
Last Updated: 03:36 PM, 24 February 2026
Ahmedabad Fire Incident: અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં મકરબા રોડ પર બકેરી સિટી નજીક આવેલી કૃષ્ણનગર રો-હાઉસ સોસાયટીમાં મધરાતે ભીષણ આગ લાગવાની દુર્ઘટનાએ બે નિર્દોષ જિંદગીઓ છીનવી લીધી છે. મકાન નંબર 4માં આજે વહેલી સવારે આશરે 3:30 વાગ્યે આગ ફાટી નીકળી હતી. ઘટનાના સમયે ગોહિલ પરિવારના પાંચ સભ્યો ઘરમાં ઊંઘમાં હતા. આગ ઝડપથી ફેલાતા પિતા ધ્રુવભાઈ ગોહિલ અને તેમનો 9 વર્ષીય પુત્ર શાશ્વત ગંભીર રીતે દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જ્યારે ઘરમાં હાજર ત્રણ સભ્યોનો આબાદ બચાવ થયો હતો. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ છે.
ADVERTISEMENT
અમદાવાદના વેજલપુરની સોસાયટીમાં રહેણાંકના ઘરમાં મધરાતે આગ લાગતાં પિતા-પુત્ર ભડથું,
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 24, 2026
પત્નીએ કહ્યું-પતિને ઉઠાડ્યાં પણ ન ઉઠી શક્યાં #Ahmedabad #Vejalpur #FireAccident #AhmedabadFire #GujaratNews #FireTragedy #BreakingNews #IndiaNews #VTVDigital pic.twitter.com/QCQlp6hEKN
ADVERTISEMENT
મૃતક ધ્રુવભાઈ ગોહિલના પત્ની મિતલબેને જણાવ્યું હતું કે તેઓ પતિ અને પુત્ર શાશ્વત સાથે એક રૂમમાં સૂતા હતા. જ્યારે સાસુ અને દીકરી ધૂમી બાજુના રૂમમાં સૂતા હતા. રાત્રિના આશરે સાડા ત્રણ વાગ્યે અચાનક ધુમાડો અને ગૂંગળામણ અનુભવાતા તેઓ જાગી ગયા હતા. શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને રૂમમાં અંધારું હોવાથી કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું. તેમણે પતિને જગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ બેભાન જેવી સ્થિતિમાં હતા. વધુ ધુમાડાને કારણે મિતલબેને પતિને ઘસડીને સાસુના રૂમમાં લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ તે દરમિયાન પુત્ર શાશ્વત નજરે પડ્યો નહોતો. ગૂંગળામણ વધતા તેઓ સાસુ અને દીકરી સાથે ગેલેરી તરફ ગયા અને પડોશીના મકાન મારફતે નીચે ઉતરી પોતાનો બચાવ કર્યો.
અમદાવાદના વેજલપુરની કૃષ્ણા રો હાઉસમાં મધરાતે આગ લાગતાં પિતા-પુત્રના કરુણ મોત #ahmedabad #vejalpur #fire #sarkhej #vtvdigital pic.twitter.com/FG2hX2JTem
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 24, 2026
ADVERTISEMENT

ADVERTISEMENT
આગ લાગતાં જ સ્થાનિકોએ તુરંત ફાયરબ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની બે કરતાં વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ ઉપર અને નીચે બંને માળે ફેલાઈ ગઈ હતી અને થોડા જ સમયમાં સમગ્ર મકાન આગની લપેટમાં આવી ગયું હતું. રેસ્ક્યુ કામગીરી દરમિયાન ફાયરકર્મીઓએ ધ્રુવભાઈ અને શાશ્વતને ઘરની અંદરથી બેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા. બંનેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મિતલબેન પણ દાઝેલી હાલતમાં સારવાર હેઠળ છે. વેજલપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોડાઈ હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે એફએસએલ (FSL)ની મદદથી વધુ તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ફાયર સેફ્ટી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. અચાનક લાગેલી આગે ગોહિલ પરિવારના બે સદસ્યોનો જીવ લેતા પરિવારને ખૂબ મોટી ખોટ પડી છે અને આ આકસ્મિક ઘટનાને લીધે આ વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.