બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, 50ના મોત, સિવિલમાં રોકકળ

દુર્ઘટના / અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, 50ના મોત, સિવિલમાં રોકકળ

Priykant Shrimali

Last Updated: 03:02 PM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad plane crash : 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્લેનમાં હોવાની અને ઇજાગ્રસ્ત થયાની ચર્ચા

Ahmedabad plane crash : અદાણી એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. પ્રાથમિક વિગતો મુજબ 50 જેટલા લોકોના મોત થયા છે.

અમિત શાહે મુખ્યમંત્રી CM, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી

ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે. તેમજ કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી હતી.

આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું. ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના મેઘાણીનગર IGP કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. ફાયર અને પોલીસને મેસેજ મળતાની સાથે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

પૂર્વ CM વિજય રૂપાણી દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં હોવાની આશંકા

આ દુર્ઘટનાન સમાચારની વચ્ચે સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્લેનમાં હોવાનું અને તેઓ ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, અનેકના મોતની આશંકા

CM સુરતથી અમદાવાદ આવવા રવાના

અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરાઇ છે. વિગતો મુજબ CM ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક અસરથી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. આ તરફ હવે મુખ્યમંત્રીએ તમામ જરૂરી મદદ પૂરી પાડવા સૂચના આપી હતી. આ સાથે આરોગ્ય વિભાગને પણ જરૂરી સારવાર માટે વ્યવસ્થાઓ કરવા સૂચના આપી છે. આ તરફ હવે CM ભૂપેન્દ્ર પટેલ સુરતથી અમદાવાદ આવવા રવાના થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad plane crash plane crash
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ