બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / ભાવનગરના સમાચાર / VIDEO : હા મોજ હા! માયાભાઈ આહિરે બોલાવી રાસડાં-ગરબાની રમઝટ, નવરાત્રીમાં કરી માતાજીની આરાધના
Last Updated: 01:54 PM, 27 September 2025
ડાયરા કે કાર્યક્રમમાં લોકોને મન નહીં પેટ ભરીને હસાવતાં લોક લાડીલા લોકસાહિત્યકાર માયાભાઈ નવરાત્રીમાં ભક્તિના રંગે રંગાયા છે. નવરાત્રીમાં માતાજીની આરાધનાની પોતાની હંમેશની પ્રથા જાળવી રાખતાં માયાભાઈ આહિરે મહુવાના સમુદ્રી માતાના મંદિરે રાસડાં અને ગરબાની રમઝટ બોલાવી હતી. મંદિરમાં તેઓ ચાહકો અને લોકો સાથે રાસડાં લેતાં જોવા મળ્યાં હતા.
ADVERTISEMENT
તબલા અને મંજીરા સાથે માતાજીની આરાધના
ADVERTISEMENT
માયાભાઈએ જૂની પરંપરા પ્રમાણે તબલા અને મંજીરા ની સાથે ગરબા ગાઈને માતાજીની આરાધના કરી હતી. લોકો પણ તેમની સાથે ગરબે રમતાં જોવા મળ્યાં હતા.
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
આ પ્રસંગનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં માયાભાઈ મંદિરમાં રાસડા લેતાં અને ગરબે રમતાં દેખાઈ રહ્યાં છે.
ADVERTISEMENT
ક્યાંના છે માયાભાઈ
માયાભાઈ આહિરનું મૂળ વતન ભાવનગરના તળાજા તાલુકાનું કુંડવી ગામ છે. પરંતુ તેમાં હાલમાં બોરડા ગામમાં રહે છે. 16 May 1972માં કુંડવીમાં તેમનો જન્મ થયો હતો. તેમની ડ્રાઈવરથી ડાયરા કિંગની સફર અદ્દભુત છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.