બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત સરકાર ટેકાના ભાવે શિંગની ખરીદી શરૂ કરશે, અગાઉ મોકુફ કરાયો હતો નિર્ણય
Last Updated: 07:37 PM, 5 November 2025
ગુજરાતમાં ખેડૂતદીઠ 125 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમની અમલવારી 9 નવેમ્બરથી રાજ્યમાં શરૂ થશે અને ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેવું કૃષીમંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે 25% ખરીદી થાય છે. તે અનુસાર ગુજરાતમાં પણ ખરીદી કરવામાં આવશે.
ADVERTISEMENT
25 ટકા જથ્થાની ટેકાના ભાવે ખરીદી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધારે ખરીદી થાય તે માટે નિર્ણય કર્યો છે. આ વખતે 25%થી વધારે જથ્થો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 1 તારીખે વરસાદ પડતો હોવાથી ખરીદી મોકૂફ રાખવામાં આવી હતી. કારણ કે જો ખરીદી કરવામાં આવે તો ખેડૂતો પાક લઇને આવે અને ચાલુ વરસાદે આવે તેવી સ્થિતિમાં પાક વધારે બગડે તેવી સ્થિતિનું સર્જન થાય તેને ધ્યાને રાખીને માત્ર મોકુફ રાખવામાં આવી હતી. હવે કોઇ વરસાદની આગાહી નથી તેવી સ્થિતિમાં ફરી એકવાર પાકની ખરીદી શરૂ કરવામાં આવશે. સોયાબીન, મગ અને અડદની પણ 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
ADVERTISEMENT
ગાંધીનગર / મગફળી ખરીદી પર મોટા સમાચાર, આ તારીખથી 4 પાકોની ટેકાના ભાવે ખરીદી થશે શરૂ, CMની જાહેરાત
9 નવેમ્બરથી ખરીદી શરૂ થશે
ADVERTISEMENT
9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. તેમાં તમામ ખેડૂતોને સહભાગી થવાની અપીલ કરવામાં આવી હતી. ખેડૂતદીઠ 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. નિયમ પ્રમાણે થાય છે 25% ખરીદી કરશે. 'આ વખતે 25%થી વધારે ખરીદી કરવામાં આવશે. 1 તારીખે વરસાદ પડતો હોવાથી ખરીદી મોકુફ રાખવામાં આવી હતી. સોયાબીન, મગ અને અડદની પણ 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.