બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પતિના ત્રાસથી પરિણીતાનો આપઘાત, લગ્નના 22 દિવસમાં જ પત્નીએ મોતને વ્હાલું કર્યું
Last Updated: 10:30 AM, 17 March 2026
Una Crime News : ઉના પંથકથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઉના તાલુકાના દાંડી ગામમાં લગ્નને માત્ર 22 દિવસ જ થયા હતા ત્યારે એક પરિણીતાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ પ્રજ્ઞાબેન નામની યુવતીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ઘટના અંગે પરિવારજનોને જાણ થતાં તરત જ પોલીસને માહિતી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
આ તરફ પરિણીતાના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની બહેનને તેના પતિ દ્વારા વારંવાર માર મારવામાં આવતો હતો અને તેને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળી પ્રજ્ઞાબેને આ અંતિમ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : GUJCET 2026 : વિદ્યાર્થીઓ માટે હોલ ટિકિટ આજથી ઓનલાઈન ઉપલબ્ધ, આ રીતે કરો ડાઉનલોડ
ફરિયાદના આધારે પોલીસે પ્રજ્ઞાબેનના પતિ કમલેશ મજેઠીયા સામે ગુનો નોંધ્યો છે. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરી રહી છે જેથી ઘટનાની સાચી હકીકત સામે આવી શકે. આ ઘટના બાદ ગામમાં ભારે દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.