બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 48 કલાક થઇ ગયા, છતાંય દેવાયત ખવડ હજુ પોલીસ પક્કડથી છે દૂર, નિષ્ફળતા પર સવાલ

ફરાર / 48 કલાક થઇ ગયા, છતાંય દેવાયત ખવડ હજુ પોલીસ પક્કડથી છે દૂર, નિષ્ફળતા પર સવાલ

Priykant Shrimali

Last Updated: 12:19 PM, 14 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devayat Khavad Controversy : ધ્રુવરાજસિંહ પર હુમલાના કેસમાં 48 કલાક પછી પણ પોલીસ દેવાયત ખવડને નથી પકડી શકી, ખવડને પકડવા માટે CCTV તપાસી રહી છે પોલીસ તો ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને અમદાવાદ રિફર કરાયા, જાણો હવે શું થશે ?

Devayat Khavad Controversy : લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદોમાં વમળમાં ફસાયા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામમાં 12 ઓગસ્ટના રોજ થયેલા જીવલેણ હુમલા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. વાસ્તવમાં લોકપ્રિય કલાકાર દેવાયત ખવડ પર હુમલાનું મુખ્ય આયોજન કરવાનો આરોપ મૂકાયો છે. જોકે હવે અહીં એક મોટી વાત એ પણ છે કે, ઘટનાને 48 કલાકથી વધુ સમય વિત્યાં છતાં દેવાયત ખવડ અને તેના સાથીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. આ તરફ મેઘરાજસિંહ ગોહિલે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી અને આ ઘટનાને વખોડી દેવાયત ખવડને ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ વીડિયોમાં મેઘરાજ ગોહિલે દેવાયત ખવડને મારી નાખવા સુધીની વાત કરી દીધી છે.

જાણો શું છે સમગ્ર મામલો ?

અમદાવાદના યુવક ધ્રુવરાજસિંહ પર કલાકાર દેવાયત ખવડ અને તેના સાથીઓએ કથિત રીતે ફોર્ચ્યુનર કાર અથડાવી ઘાતકી હુમલો કર્યો હતો. આરોપીઓએ તેમની કારને ધ્રુવરાજસિંહની કાર સાથે ટકરાવી દીધી હતી અને બાદમાં તેને બેહોશ અવસ્થામાં છોડી જતાં ઘાયલ સ્થિતિમાં હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. જોકે હાલ મળતી વિગતો મુજબ ઇજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. જોકે આ ઘટના બન્યા અને ફરિયાદ નોંધાયા હજી સુધી દેવાયત ખવડ અને તેના સાથીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.

સનાથલનો બદલો ગીરમાં ?

નોંધનીય છે જે, લગભગ છ મહિના પહેલા ધ્રુવરાજસિંહ અને દેવાયત ખવડ વચ્ચે વિવાદ થયો હતો. ધ્રુવરાજસિંહે સનાથલમાં એક ડાયરા કાર્યક્રમ માટે દેવાયત ખવડને બોલાવ્યો હતો અને અગાઉથી પેમેન્ટ પણ કર્યું હતું. પરંતુ ખવડ કાર્યક્રમમાં હાજર રહ્યો નહોતો જેના પગલે ધ્રુવરાજસિંહે પૈસા પરત માંગ્યાં હતા. એજ મુદ્દો બંને વચ્ચે વધેલી દુશ્મનીનું કારણ બન્યો હતો. મીડિયા અહેવાલો પ્રમાણે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, હુમલાથી પહેલા કથિત રીતે દેવાયત ખવડ દ્વારા રેકી પણ કરવામાં આવી હતી.

આ તરફ હવે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ખાસ કરીને દેવાયત ખવડની ફોર્ચ્યુનર કારનું લોકેશન શોધવા માટે આસપાસના વિસ્તારોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ઘટનાના સંબંધમાં દેવાયત ખવડ સહિત કુલ 15 લોકો સામે હત્યાનો પ્રયાસ, લૂંટ અને અન્ય ગંભીર કલમોની હેઠળ ગુનો નોંધાયો છે.

...અને પછી વિવાદમાં થઈ મેઘરાજસિંહ ગોહિલની એન્ટ્રી

આ કેસમાં હવે મેઘરાજસિંહ ગોહિલની એન્ટ્રી થઈ છે અને તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં કહ્યું કે, મારુ નામ છે મેઘરાજસિંહ ગોહિલ. આજે જુનાગઢમાં દેવાયત ખવડે છોકરાઓ જોડે બાજયો છે એના વિશે હું તમને કહેવા માંગુ, જે દેવાયતની સનાથલમાં પત્તર ઠોકી હતી એ હું પોતે... બીજી વાત અત્યારે એને ઓલા છોકરાને ધ્રુવને, 20 વર્ષનો છોકરો એને કઈ ખબર પડે નહિ એની ઉપર હાથ ચાલાકી કરીને દેવાયત એમ કે, હું મરદ છું. અલ્યા ફા.... તારા જેવો કોઈ ફા....તે છોકરા ઉપર હાથ ઉપાડ્યો ? મરદ માણસ હોય તો રામભાઈ પાસે આય. મારી સામે આય.

આ પણ વાંચો : દેવાયત ખવડ સહિત 15 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ, હવે શું થશે?

આ સાથે અન્ય એક વીડિયોમાં મેઘરાજસિંહે કહ્યું કે, હમણાં વીડિયો મૂક્યો અને આ બીજો વીડિયો જોઈ લેજો. એમ કઇં ફાંકા ફોજદારી નહીં.12-15 લોકોને લઈ છોકરાને મારવા નીકળ્યા છો. સમજો છો શું તમારા મનમાં ? સામી છાતીએ આવી જાવ, લોકેશન આપું, ફોન કરી બોલાવો. ખબર પડે કે કોણ કોને મારે છે ? 20-20 વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાયત ખવડ ફા... સમજે છે શું તું તારા મનમાં ? 15-15 લોકો 3-3 ગાડીઓ લઈ છોકરાને મારો છો. હું એકલો જ ફરું છું બાજી લેજો.. જ્યાં આવવાનું હોય ત્યાં.. હા, એકવાર ઘા કરી બતાય દેવાયત ખવડ, જો તારા ઘરે આવી ને તને ના મારી નાખું તો કેજે.

આ પણ વાંચો : Video: 'મારી માંના સમ, જો ના મારી નાખું તો....', દેવાયત ખવડને મેઘરાજસિંહ ગોહિલનો ખુલ્લો પડકાર

દેવાયત ખવડે સનાથલના ધ્રુવરાજસિંહને ધોકાથી માર માર્યો ?

ડાયરાના જાણીતા કલાકાર દેવાયત ખવડ ફરી મોટા વિવાદમાં આવ્યાં છે. જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામમાં કથિત રીતે દેવાયત ખવડની ફોર્ચ્યુનર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. કાર ટક્કરમાં કિયા કારને નુકસાન થયું હતું જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. ઘાયલ થયેલી વ્યક્તિનું નામ અમદાવાદના સથાનલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણ છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારતા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. ત્યારબાદ કથિત રીતે દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણન માર માર્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sanathal Meghrajsinh Gohil Devayat Khavad controversy
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ