કોરોના સંકટમાં સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતના દરિયાકિનારે દુશ્મનની હિલચાલ દેખાઈ રહી છે. આ અંગે કોસ્ટલ એરિયાના અલર્ટ પર મૂકવામાં આવ્યો છે અને માછીમારોને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે. એક તરફ કોરોનાની મહામારી અને જો આવામાં દરિયાઈ યુદ્ધ છેડાય તો ભારતની મુશ્કેલી વધી શકે છે.
11થી 23 મે સુધીમાં દરિયાકિનારે થઇ શકે છે શંકાસ્પદ હિલચાલ
દેશ વિરોધી તત્વો હુમલાને આપી શકે છે અંજામ
કોરોના સંકટ વચ્ચે ગુજરાતના દરિયા કિનારે શંકાસ્પદ હિલચાલની આશંકા છે.. કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયા કિનારે હુમલો અને ઘુસણખોરીની શક્યતા વ્યક્ત કરી છે. કોસ્ટગાર્ડે આ મામલે અલર્ટ પણ જાહેર કર્યું છે.
11થી 23 મે સુધીમાં દરિયાકિનારે થઇ શકે છે શંકાસ્પદ હિલચાલ
11થી 23 મે સુધીમાં દરિયાકિનારે કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાઈ શકે છે. દેશના વિરોધી તત્વો હુમલો કરે તેવી પણ શક્યતા છે. આ મામલે કોસ્ટગાર્ડે અને ફિશરીઝ વિભાગે માછીમારોને પત્ર લખીને પોરબંદર અને તેની આસપાસના વિસ્તારોમાં કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાય તો જાણ કરવા સૂચના આપી છે. સાથે જ લેન્ડિંગ પોઈન્ટ અને દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ દેખાય તો પણ ફિશરીઝ વિભાગ તેમજ કોસ્ટગાર્ડને જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.