બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શપથવિધિ પહેલા આવ્યા મોટા સમાચાર, નવા મંત્રીમંડળમાં 5 ધારાસભ્યો રિપીટ થઈ શકે

BIG News / શપથવિધિ પહેલા આવ્યા મોટા સમાચાર, નવા મંત્રીમંડળમાં 5 ધારાસભ્યો રિપીટ થઈ શકે

Jay Bhatt

Last Updated: 09:04 AM, 17 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હલચલ તેજ થઈ ગઈ છે, નવા મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ હવે નજીક આવી રહી છે, ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંચ મંત્રીઓ રિપીટ થઈ શકે છે.

Gujarat Cabinet Expansion: આજે ગુજરાતના રાજકારણ માટે મોટો દિવસ છે. તમામની નજર ગાંધીનગર ખાતે થનારા નવા મંત્રીમંડળના શપથવિધિ કાર્યક્રમ પર રહેશે. શપથવિધિના કાર્યક્રમને લઈને મહાત્મા મંદિર ખાતે તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને સ્ટેજ પણ ગોઠવી દેવામાં આવ્યું છે, ત્યારે સૂત્રો પાસેથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

નવા મંત્રીમંડળને લઈને ભારે ઉત્તેજના

ગુજરાતના નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તેને લઈને ભારે ઉત્તેજના છે, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી નવા ચહેરાઓ જોવા મળી શકે છે તો જ્ઞાતિ આધારિત સમીકરણો જોતા પાટિદાર અને ક્ષત્રિય તેમજ કોળી સમાજમાંથી પણ કેટલાકને સ્થાન મળી શકે છે, જો કે આ વચ્ચે કેટલાક ધારાસભ્ય યથાવત રહી શકે છે.

vtv app promotion

આ ધારાસભ્યો મંત્રી તરીકે યથાવત રહેશે

ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, ત્યારે ક્યાં ધારાસભ્યની લોટરી લાગશે અને કોને ક્યું સ્થાન મળશે તે હજુ પણ સસ્પેન્સ છે, જો કે સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, જૂના મંત્રીઓ રિપીટ થઈ શકે છે, જેમાં પાંચ નામ સામે આવી રહ્યા છે, જે અનુક્રમે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી બાવળીયાના છે.

ધારાસભ્યોને ફોન આવવાના શરૂ

નવા મંત્રીમંડળ માટે વર્તમાન મંત્રીઓ તથા ધારાસભ્યોને કોલ કરવાની શરૂઆત થઈ ગઈ છે. લવિંગ ઠાકોરે VTV સાથે કરી વાત કરીને જણાવ્યું હતું કે, મને ૨ દિવસ પહેલા દંડક ઓફિસ માંથી ફોન આવ્યો હતો, એટલે હું અહીંયા હાજર થયો છું.

વધુ વાંચો : LIVE: પ્રફુલ પાનશેરીયા, કુંવરજી બાવળિયા, સી.જે. ચાવડા, જુઓ અન્ય કયા MLAsને આવ્યો શપથવિધિ માટેનો ફોન

આજે નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળશે

સાંજે 4 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નવા મંત્રીઓના શપથ સમારોહનું આયોજન, 25 ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા, ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં મંત્રીઓ સંભાળશે ચાર્જ, અમુક મંત્રી દિવાળી પછી સાતમના દિવસે ચાર્જ સંભાળે તેવી શક્યતા

મહાત્મા મંદિર ખાતે કડક પોલીસ બંદોબસ્ત

શપથવિધિના પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર ખાતે 2 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પીએસઆઈ અને આશરે 450 પોલીસ જવાનો તૈનાત રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cabinet expansion news update Gujarat cabinet expansion Big news on cabinet expansion
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ