બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / નવનીત બાલધિયાના વિવાદનો અંત? સમાધાનના વાયરલ પોસ્ટર પર મોરારી બાપુનો ખુલાસો

ભાવનગર / નવનીત બાલધિયાના વિવાદનો અંત? સમાધાનના વાયરલ પોસ્ટર પર મોરારી બાપુનો ખુલાસો

Priykant Shrimali

Last Updated: 01:07 PM, 9 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morari Bapu on Poster Controversy : સમગ્ર મામલે મોરારીબાપુએ સ્પષ્ટ નિવેદન આપતા કહ્યું કે, તેઓ છેલ્લા 9 દિવસથી બિહારમાં કથા કરે છે અને હાલમાં પણ બિહારમાં જ છે. મોરારીબાપુએ સ્પષ્ટ કર્યું કે, પોસ્ટરમાં દર્શાવેલા સમાધાન...

Morari Bapu on Poster Controversy : ભાવનગરમાં મોરારીબાપુના પોસ્ટર વિવાદ પર હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભાવનગરમાં બગદાણાના સેવક નવનીત બાલધીયા મુદ્દે મોરારીબાપુના ફોટો સાથે એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. આ પોસ્ટરમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે, મોરારીબાપુએ બગદાણાના સેવક નવનીત બાલધીયાનું સમાધાન કરાવ્યું છે. આ પોસ્ટર જોઈને ઘણા લોકોમાં ગુસ્સો અને વિવાદ ઉભો થયો હતો. જોકે હવે આ મામલે ખુદ મોરારી બાપુએ સ્પષ્ટતા કરી છે.

શું કહ્યું મોરારી બાપુએ ?

સમગ્ર મામલે મોરારીબાપુએ સ્પષ્ટ નિવેદન આપતા કહ્યું કે, તેઓ છેલ્લા 9 દિવસથી બિહારમાં કથા કરે છે અને હાલમાં પણ બિહારમાં જ છે. મોરારીબાપુએ સ્પષ્ટ કર્યું કે, પોસ્ટરમાં દર્શાવેલા સમાધાનના પ્રસંગમાં તેમનો કોઈ જોડાણ નથી. તેઓ જણાવે છે કે, “મારા ફોટાઓ બનાવવામાં આવ્યા છે અને પછી બીજા દર્શાવવામાં આવ્યા છે.” મોરારીબાપુએ લોકોને સલાહ આપી છે કે, આવા ઘટનામાં અવિશ્વાસ અથવા ખોટી માહિતી સામે એક મંત્ર છે, “ઓમ ઈગ્નોરાય નમ,” એટલે જાણીને પણ અવગણો. આ સ્પષ્ટીકરણ પછી સોશ્યલ મીડિયા પર વિવાદ ધીમી પડ્યો છે અને લોકોએ જાણકારીનો સત્યાર્થ સમજવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : કોઇકની રોંગ સાઈડ અજાણ્યા બાઈક ચાલકને ભારે પડી, મળ્યું મોત, CCTV કાળજું કંપાવનારા

શું છે સમગ્ર મામલો ?

તમે બધા જાણો છો કે હાલ કોળી સમાજના યુવક પર થયેલ હુમલાને લઈ મામલો ગરમાયેલો છે. આ તરફ તાજેતરમાં ભાવનગરમાં મોરારીબાપુએ બગદાણાના સેવક નવનીત બાલધીયાનું સમાધાન કરાવ્યું હોવાના પોસ્ટર સોશિયલ મીડિયાર પર વાયરલ થતાં હતા. જોકે આ મામલે મોરારી બાપુએ કહ્યું કે, હું છેલ્લાં 9 દિવસથી બિહારમાં કથા કરી રહ્યો છું, કોઈએ હોસ્પિટલમાં ખબરઅંતર પૂછી રહ્યો હોય તેવું ફોટોમાં દર્શાવ્યું છે અને હું કોઈનું સમાધાન કરાવી રહ્યો હોય તેવું પોસ્ટરમાં દર્શાવવામાં આવ્યું છે . હું બિહારમાં છું અને મારા ફોટાઓ બનાવી મને બીજા દર્શાવી રહ્યા છે. જોકે તેમણે છેલ્લે કહ્યું કે, તમારા માટે કોઈ જો આવું કામ કરે તો એક મંત્ર શીખી લેજો ઓમ ઈગ્નોરાય નમ:

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Viral Poster Morari Bapu
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ