બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સિગ્નલ તોડતાં બે વાર વિચારજો! અમદાવાદમાં રાત્રે 12 સુધી ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે
Gujarat: અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં દિવસ દરમિયાન જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ ટ્રાફિકનું ભારણ જોવા મળે છે. શહેરમાં એસ.જી. હાઈવે સહિતના અનેક વ્યસ્ત રસ્તાઓ પર રાત્રે પણ ભયંકર ટ્રાફિન જોવા મળે છે.
ADVERTISEMENT
એક તરફ એસ.જી હાઈવે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ઓવરબ્રિજ તેમજ અંડર બ્રિજ જેવા કામો ચાલી રહ્યા હોવાથી ટ્રાફિકનું ભારણ રહે છે. સવારે ઓફિસ જવા સમયે તેમજ સાંજે ઓફિસના છુટવા સમયે તો સ્થિતિ બેકાબૂ બની જાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
શહેરમાં કેટલાક વિસ્તારો એવા પણ છે જ્યાં રાત્રે 10 વાગ્યા બાદ પણ વાહનવ્યવહારનો ઘસારો જોવા મળે છે. ટ્રાફિકની વિકરાળ પરિસ્થિતિને ધ્યાને રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા તાજેતરમાં ડ્યુટી સમયસીમામાં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી રાત્રિના પીક અવર્સમાં પણ વધુ સક્ષમ વ્યવસ્થા જાળવી શકાય.
ADVERTISEMENT
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયમાં રાત્રિ દરમિયાન ઓવર સ્પીડિંગના કારણે અકસ્માતના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે હવે અમદાવાદ શહેરમાં હવે રાત્રે 12 સુધી ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. ટ્રાફિક પોઈન્ટ પર રાત્રે પોલીસ તહેનાત રહેતા હોવાથી વાહનચાલકો પર નિયંત્રણ રહેશે અને નિયમભંગ કરનારાઓ પર કડક કાર્યવાહી પણ શક્ય બનશે.
વધુ વાંચો : જૂનાગઢમાં મેંદરડા ગામ નજીક બનેલી દુર્ઘટનામાં બે યુવાનોનાં કરુણ મોત
ADVERTISEMENT
ટ્રાફિક પોઈન્ટ પર પોલીસકર્મીઓ બે શિફ્ટમાં ફરજ બજાવશે. શિફ્ટમાં ફેરફાર કરીને રાત્રિના 11થી વધારી 12 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા અમલમાં આવતા હવે આ સમસ્યામાં થોડો ઘટાડો જોવા મળશે તેવી આશા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.