બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાળાઓએ પાંચમા માળેથી માર્યો ધક્કો, પારિવારિક ઝઘડામાં બનેવીને પતાવી દીધાનો આક્ષેપ
Ahmedabad News : છેલ્લા કેટલાક મહિનાઓમાં અમદાવાદમાં હત્યા જેવી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. અવારનવાર હત્યાના અહેવાલો પ્રકાશિત થતા હોય છે, ત્યારે શહેરમાં વધુ એક હત્યાથી ચકચાર મચી જવા પામ્યો છે.
ADVERTISEMENT
દિવાળીમાં ભાઈબીજનો તહેવાર પવિત્ર માનવામાં આવે છે, જ્યાં પરિવાર હશી ખુશીથી ભેગો થતો હોય છે. જો કે અમદાવાદમાં ભાઈબીજના દિવસે જ સાળાઓએ બહેનના પતિ એટલે કે બનેવીની હત્યા કરી નાખી હોવાનો આક્ષેપ કર્યો છે. શહેરના વાડજમાં હત્યાની ઘટના બની હતી. આ બનાવના પગલે આસપાસમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ADVERTISEMENT
પોલીસના સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ બહેન ત્રાસ આપતા હોવાથી બનેવીની હત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાવેશ મકવાણાની સાળાઓએ પાંચમા માળેથી ફેંકી હત્યા કરી હોવાનું કહેવાય છે. ભાવેશભાઈ વ્યવસાયમાં રિક્ષા ચલાવવતા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભાવેશભઈની પત્નીના ભાઈઓ ઘરે આવી પહોંચ્યા હતા. કોઈ કારણોસર ઝઘડામાં પત્નીના ભાઈઓએ ભાવેશભાઈને ઢોર માર માર્યો હતો. વાડજ વિસ્તારના સેક્ટર-3, સી બ્લોકમાં ઘટના બની હતી. વાડજ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વધુ વાંચો : 'અબકી બાર મોદી સરકાર' લખનાર પીયૂષ પાંડેનું નિધન, 70 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ADVERTISEMENT
અમદાવાદમાં બનેવીની હત્યા કરવામાં આવી હતી, જો કે અગાઉ ભાઈબીજના દિવસે ગુજરાતમાં બે હત્યાના બનાવો બન્યા હતા. જેમાં સુરતમાં સાળા-બનેવીના પવિત્ર સંબંધોને કલંક લગાડતો એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. ભાઈબીજના પવિત્ર દિવસે જ બનેવીએ પોતાના સાળાને મોતને ઘાટ ઉતાર્યો હતો. સુરત ઉપરાંત ભરૂચમાં ભાઈબીજે પારિવારિક ઝઘડામાં બનેવીએ પોતાના સાળાની છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.