બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / Gondal, Parasottam Rupala folded his hands again and apologized to the Kshatriya community
Dinesh
Last Updated: 08:51 PM, 29 March 2024
પરશોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ વિવાદ ભારે વકર્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજમાં પરશોતમ રૂપાલા સામે નારાજગી વધતા ગોંડલ ખાતે ડેમેજ કંટ્રોલ માટે બેઠક યોજાઈ છે. જે બેઠકમાં ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા ઉપસ્થિત રહ્યાં છે. જેમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિય આગેવાનો પણ ગોંડલની બેઠકમાં જોડાયા હતાં.
ADVERTISEMENT
'મારા કારણે આજે મારી પાર્ટીને સાંભળવાનું આવ્યું'
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આ બેઠક યોજાઈ હતી. જેમાં ક્ષત્રિય સમાજના 500થી વધુ અગ્રણીઓ બેઠકમાં વિચારણા કરી હતી. આ પ્રસંગે પરશોતમ રૂપાલાએ કહ્યું હતું કે, એક વાતનો એટલો મોટો રંજ છે કે, મારા જીભથી આ શબ્દ નીકળ્યો. મારી આખી જિંદગીમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને પાછું ખેચ્યું હોય તેવું કોઈ રેકોર્ડ નથી. પરંતુ અનઆયોજિત કાર્યક્રમમાં આ નિવેદન અપાયું હતું. તેમણે કહ્યું કે, મારા કારણે આજે મારી પાર્ટીને સાંભળવાનું આવ્યું છે. મારા માટે મારી પાર્ટીને સાંભળવાનું થયું છે ત્યારે મારી ભૂલનો હું જ જવાબદાર છું અને ફરી એક વાર ક્ષત્રિય સમાજની માફી માંગું છું.
ADVERTISEMENT
વાંચવા જેવું: આજે આ 4 જિલ્લાના લોકોને રાત કાઢવી પડશે મુશ્કેલ, ગરમ રાત્રિની આગાહી, થશે અકળામણ
જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું ?
જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે, રૂપાલાના નિવેદનથી સૌથી વધુ મને દુઃખ થયુ છે. વધુમાં ઉમેર્યું કે, આપણા બાપુજીનું માથું વાઢી નાખ્યું હોય તો પણ આપણે ત્યાં તેઓ શરણે આવે છે તો તેઓ આપણી થાળીમાં જમે છે. સમાજની વચ્ચે આ વાત છે કે, સાહેબની જે ભૂલ થઈ છે તે ભૂલ ભૂલવાની છે. આ દેશને નરેન્દ્ર મોદીની કેટલી જરૂર છે તે બધાને ખબર છે. મારે પી.ટી જાડેજાને યાદ કરવો છે, જેમનાથી પણ ભૂલ થઈ હતી ત્યારે હું ગયો હતો. તમે સમાજને ગુમરાહ ન કરો. ભાજપે ક્ષત્રિય સમાજને ઘણું આપ્યું છે. ગોંડલ બેઠક પર લેઉવા પટેલ મતદારો છતા ક્ષત્રિયને ટિકિટ આપી છે
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.