બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ધર્મ / God Shiv shankar different names has power to avoid different crises

ધર્મ / શ્રાવણમાં શિવજી કરશે સમસ્યા દૂર, આ રીતે કરો મંત્રજાપ

Bhushita

Last Updated: 01:58 PM, 10 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે આપણે દરેક ભગવાન શિવની આરાધના કરીએ છીએ. પણ આપણે ભાગ્યે જ જાણીએ છીએ કે ભગવાન શિવના દરેક અલગ નામમાં એક અલગ શક્તિ છૂપાયેલી છે. અમે આપને જણાવીશું ભગવાન શિવના અલગ અલગ નામને જપવાનું મહત્વ શું છે તે વિશે.

'વિશ્વંભર' નામ રોજગાર સાથે સંકળાયેલું છે
જો આપને નોકરી સાથેની કોઈ સમસ્યા છે તો તમે ભગવાન શિવના આ નામનો જાપ કરો. ખાતા-પીતા, ઉઠતા બેસતા તમે વિશ્વંભર નામનો જાપ કરો છો તો તમારી નોકરીની સમસ્યા ઝડપથી ઉકેલાશે.

'મહેશ્વર'થી ચાલે છે કારોબાર
કારોબારને વધારવા માટે ભગવાન શિવના મહેશ્વર નામનો જાપ કરવાનો રહે છે. આ નામનો જાપ કરીને કાર્ય સ્થળ પર જાઓ. તમારી સમસ્યા ઉકેલાશે અને સાથે જ તમને સફળતા પણ મળશે.

'આશુતોષ'થી વધશે જીવનસાથી સાથેનો વ્યવહાર
જીવનસાથી સાથે જો અણબનાવ રહેતો હોય તો ભગવાન શિવના આશુતોષના નામનો જાપ કરો. સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલા આ નામ જપવાથી અરસપરસનો વ્યવહાર સુધરે છે.

'મહાદેવ'ના નામથી મળે છે સારું સ્વાસ્થ્ય
સવારે નાહી ધોઈને શિવજીને જળ ચઢાવવું અને સાથે મહાદેવના નામનો ઓછામાં ઓછી 15 મિનિટ જાપ કરો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સુધરે છે. 

'રુદ્ર'થી સુધરશે સંતાનનો વર્તાવ
બપોરના સમયે લગભગ 15 મિનિટ સુધી રુદ્રના નામનો જાપ કરો. ત્યાર બાદ તમારા સંતાનના નામનો 11 વાર જાપ કરશો તો તેના વ્યવહારમાં સુધારો આવશે. 

'નટરાજ' આપશે માન-સન્માન
યશ અને કિર્તિ મેળવવા માટે ભગવાન શિવના નટરાજના નામનો પ્રયોગ કરો. પ્રદોષ કાળમાં શિવના નટરાજના નામનો 108 વાર જાપ કરો. તેનાથી તમારું માન સન્માન વધશે અને યશ પણ પ્રાપ્ત થશે.

'બાબા' ભગાડશે મોટી આફત
ભગવાન શિવના આ નામમાં મોટામાં મોટી સમસ્યાને ટાળવાની શક્તિ છે. જેટલું વધારે શિવના આ નામનો જાપ કરશો તેટલો જ વધારે ફાયદો થશે. 

'શિવ'ના જાપથી ખુલશે મોક્ષનો માર્ગ
મોક્ષપ્રાપ્તિ માટે શિવના નામનો જાપ કરો. શિવજીનું ધ્યાન કરીને આ નામનો જાપ કરવાથી યોગ્ય ફળ મળે છે. કોઈ સિદ્ધ વ્યક્તિ પાસેથી શિવ નામનો મંત્ર મળે તો તે ઉત્તમ રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ