બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Fourth wave of corona in India could be as dangerous as Delta: Scientists warn, start time given

મહામારી / ભારતમાં કોરોનાની ચોથી લહેર ડેલ્ટા જેવી ખતરનાક હશે-વૈજ્ઞાનિકોની ચેતવણી, આપ્યો શરુ થવાનો સમય

Hiralal

Last Updated: 09:26 PM, 4 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોનાની ચોથી લહેરના ગ્રહો ઉજળા બન્યા હોવાની એક ખતરનાક ચેતવણી આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોએ આપી છે.

  • ભારતમાં કોરોનાની ચોથી લહેરને લઈને મોટું અપડેટ
  • IIT કાનપુરના વૈજ્ઞાનિકોની ચેતવણી
  • મે-જુનમાં ભારતમાં શરુ થઈ શકે ચોથી લહેર

ભારતમાં કોરોનાની ચોથી લહેરને લઈને ચર્ચા જાગી છે. વૈજ્ઞાનિકોને પાકા પાયે ખાતરી છે કે મે-જુનની આસપાસ કોરોનાની ચોથી લહેર આવશે. સરકાર અને લોકો પાસે હજુ તૈયારીનો બે મહિનાથી વધારે સમય છે. IIT કાનપુરના વૈજ્ઞાનિકોએ એક ગણિતના મોડલનો ઉપયોગ કરીને ભારતમાં કોરોનાની ચોથી લહેરની મોટી આગાહી કરી છે. આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોની બીજી અને ત્રીજી લહેરની આગાહી સચોટ નીકળી હતી અને હવે તેણે ચોથી લહેર અંગે પણ આગાહી કરી છે જે ભારતની ચિંતા વધારી શકે છે. 

ભારતમાં મે-જુનમાં આવશે કોરોનાની ચોથી લહેર 
વૈજ્ઞાનિક અને ગણિતના મોડલને આધારે તેમણે કહ્યું કે ભારત સહિત દુનિયામાં મે મહિનાથી લઈને જુનની વચ્ચે કોરોનાની ચોથી લહેર આવશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચોથી લહેર ડેલ્ટા જેવી ખતરનાક બની શકે છે. 

ચોથી લહેરમાં ભારતમાં હજારો કેસ આવી શકે

વૈજ્ઞાનિકોએ કહ્યું કે ચોથી લહેરમાં ભારતમાં હજારો કેસ આવી શકે છે અને તે ભયાનક પણ બની શકે છે. સરકાર અને લોકોએ અત્યારથી તૈયારી રાખવી જોઈએ. 

ડેલ્ટા પરિવારનો આગામી વેરિએન્ટ હોઈ શકે છે

વૈજ્ઞાનિકો કહી ચૂક્યા છે કે કોરોના આપણી વચ્ચે છે. તેના વેરિએન્ટ આવતા રહેશે. એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી હવે વાયરસની ઉત્ક્રાંતિનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિક એન્ડ્ર્યુ રામબૌતે નેચર જર્નલને જણાવ્યું હતું કે ચોથી લહેરમાં કોરોના ડેલ્ટા અથવા આલ્ફા-વંશનો હોય તે ખૂબ જ શક્ય છે.' તેમણે સમજાવ્યું કે તેમાં રોગપ્રતિકારક શક્તિમાં પ્રવેશવાની પૂરતી ક્ષમતા હોઈ શકે છે જેથી ઓમિક્રોનને પાછળ છોડી શકાય.

2022ના અંત સુધીમાં કોરોના બની જશે સામાન્ય વાયરસ 
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે  2022ના અંત સુધીમાં કોરોના ધીરે ધીરે સામાન્ય વાયરસની જેમ સિઝનલ વાયરલમાં ફેરવાશે. સાથે જ એક્સપર્ટનું માનવું છે કે ચોથી લહેર કેટલી ખતરનાક હશે, તે પણ વેરિએન્ટના પ્રકાર, કેટલી ઝડપથી મલ્ટીપ્લેટ થઈ રહી છે અને કેટલા લોકોને વેક્સીન આપવામાં આવી છે તેના પર નિર્ભર કરશે. ડોકટરોનું કહેવું છે કે જેમણે બીજો ડોઝ લીધો ન હતો તેમને તે મળવો જોઈએ. સાથે જ હેલ્થ વર્કર, સિનિયર સિટીઝન અને જેમને આ બીમારીના કારણે વધુ જોખમ છે તેમણે બુસ્ટર ડોઝ લેવો જોઈએ. સાથે જ કોરોનાથી બચાવવાનો સૌથી સારો રસ્તો માસ્ક છે, જે લાંબા સમય સુધી તમારી સાથે રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Corona pandemic corona india india corona કોરોના ઈન્ડીયા કોરોના મહામારી કોરોના વાયરસ Corona virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ