બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:56 PM, 30 July 2026
તાજેતરના ભારે વરસાદ દરમિયાન અનેક વાહનોની હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) તૂટી પડવા અથવા ખોવાઈ જવાની ઘટનાઓ બાદ સુભાષબ્રિજ આરટીઓએ તમામ અધિકૃત ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ડીલર્સને એચએસઆરપી નંબર પ્લેટ ફક્ત સ્નેપ લોક સિસ્ટમથી જ ફિટ કરવાની કડક સૂચના આપી છે. કેન્દ્રીય મોટર વાહન નિયમો મુજબ સ્નેપ લોક ફરજિયાત છે.
ADVERTISEMENT

આરટીઓની તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક ડીલરો ખર્ચ બચાવવા માટે સ્નેપ લોકના બદલે સામાન્ય અને સસ્તા રિવેટ્સનો ઉપયોગ કરી રહ્યા હતા. પરિણામે ભારે વરસાદ, વાહન ધોવા અથવા લાંબા ઉપયોગ બાદ નંબર પ્લેટ છૂટી પડવાની શક્યતા વધી જાય છે, જેના કારણે વાહનમાલિકોને મુશ્કેલી અને આર્થિક નુકસાન ભોગવવું પડે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : પોળ વિસ્તારોમાં હજારો પરિવારો જોખમમાં! સબસિડી લોન અને સરળ રીડેવલપમેન્ટની માંગ તેજ
સુભાષબ્રિજ આરટીઓ બી.આર. સૂર્યવંશીએ જણાવ્યું કે નિયમો મુજબ એચએસઆરપી માત્ર નૉન-રિમૂવેબલ અને નૉન-રીયુઝેબલ સ્નેપ લોકથી જ લગાવવી જરૂરી છે. ૨૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલી સૂચનામાં સ્પષ્ટ કરાયું છે કે સ્નેપ લોકના બદલે સામાન્ય રિવેટ્સનો ઉપયોગ નિયમભંગ ગણાશે અને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.