બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Former AAP leader Alpesh Kathiria and religious Malviya will join BJP
Last Updated: 01:33 PM, 26 April 2024
પાટીદાર અનામત આંદોલન (પાસ) થી લોકચાહના મેળવ્યા બાદ નાટકીય ઢબે આમ આદમી પાર્ટીમાં જોડાનાર પાટીદાર નેતાઓ આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. થોડા સમય પહેલા અલ્પેશ કથિરીયા તેમજ ધાર્મિક માલવિયા દ્વારા થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી નાટકીય ઢબે રાજીનામું આપ્યું હતું. જે બાદ આવતીકાલે તેઓ નાટકીય ઢબે ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા રાજકારણમાં ભૂકંપ આવી જવા પામ્યો હતો.
ADVERTISEMENT
રાજીનામું આપતા અનેક તર્ક વીતર્ક સર્જાયા હતા
સુરત આમ આદમી પાર્ટીનાં કદાવર નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ બંને આપનાં બેનર પર વિધાનસભા ચૂંટણીમાં પણ ઝંડલાવ્યું હતું. પરંતું ત્યારે બાદ એકાએક 18 એપ્રિલ નાં રોજ બંને નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વીતર્કો સર્જાયા હતા. ત્યારે આવતીકાલે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાશે.
ADVERTISEMENT

રાજકીય કાર્યક્રમોથી દૂર રહેતા
આદ આદમી પાર્ટીનાં બેનર હેઠળ વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ તેમજ ધાર્મિક દ્વારા રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. તેમજ તેઓ આમ આદમી પાર્ટીનાં કાર્યક્રમમાં પણ ગેરહાજર રહેતા હતા. જે બાદ લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ અલ્પેશ અને ધાર્મિક માલવીયા દ્વારા 18 એપ્રિલનાં રોજ એકાએક રાજીનામું આપી દેતા હડકંપ મચી જવા પામ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.