બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Vishal Khamar
Last Updated: 01:33 PM, 26 April 2024
પાટીદાર અનામત આંદોલન (પાસ) થી લોકચાહના મેળવ્યા બાદ નાટકીય ઢબે આમ આદમી પાર્ટીમાં જોડાનાર પાટીદાર નેતાઓ આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. થોડા સમય પહેલા અલ્પેશ કથિરીયા તેમજ ધાર્મિક માલવિયા દ્વારા થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી નાટકીય ઢબે રાજીનામું આપ્યું હતું. જે બાદ આવતીકાલે તેઓ નાટકીય ઢબે ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા રાજકારણમાં ભૂકંપ આવી જવા પામ્યો હતો.
રાજીનામું આપતા અનેક તર્ક વીતર્ક સર્જાયા હતા
સુરત આમ આદમી પાર્ટીનાં કદાવર નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ બંને આપનાં બેનર પર વિધાનસભા ચૂંટણીમાં પણ ઝંડલાવ્યું હતું. પરંતું ત્યારે બાદ એકાએક 18 એપ્રિલ નાં રોજ બંને નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વીતર્કો સર્જાયા હતા. ત્યારે આવતીકાલે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાશે.
રાજકીય કાર્યક્રમોથી દૂર રહેતા
આદ આદમી પાર્ટીનાં બેનર હેઠળ વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ તેમજ ધાર્મિક દ્વારા રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. તેમજ તેઓ આમ આદમી પાર્ટીનાં કાર્યક્રમમાં પણ ગેરહાજર રહેતા હતા. જે બાદ લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ અલ્પેશ અને ધાર્મિક માલવીયા દ્વારા 18 એપ્રિલનાં રોજ એકાએક રાજીનામું આપી દેતા હડકંપ મચી જવા પામ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ