બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'Flood' in Anand: District Agriculture Department made 20 teams and conducted survey
Vishal Khamar
Last Updated: 09:46 PM, 22 September 2023
જિલ્લા ખેતીવાડી વિભાગે 20 ટીમો બનાવી હાથ ધર્યો સરવે
આણંદની મહી નદીમાં પુરની અસરને પગલે સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. જીલ્લા ખેતીવાડી વિભાગે 20 ટીમો બનાવી સર્વે હાથ ધર્યો હતો. ગ્રામ સેવકો અને તલાટીઓને સર્વેની કામગીરી સોંપાઈ છે. મહી નદીકાંઠે આવતા 17 ગામોમાં સર્વે થશે. પુરનાં કારણે પાક નુકશાનીનો સર્વે કરાશે. પુરનાં પાણી ઓસરતા જ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. એક સપ્તાહમાં નુકશાનીનો રિપોર્ટ તૈયાર કરવા તંત્ર દ્વારા આદેશ આપ્યો છે.
કૃષિમંત્રી પૂરના કારણે કૃષિમાં નુકસાન સહિતની બાબતો પર કરશે સમિક્ષા
તાજેતરમાં દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પુરે ભારે તારાજી સર્જી છે. પુરગ્રસ્ત વિસ્તારની કૃષિમંત્રી રાઘવજી પટેલ મુલાકાત કરશે. નર્મદા નદીમાં પૂરમાં થયેલ નુકશાન બાબતે કૃષિ મંત્રી સમીક્ષા કશે. તેમજ પુરનાં કારણે કૃષિમાં નુકશાન સહિતની બાબતો પર સમીક્ષા કરશે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થાનિકો સાથે કૃષિમંત્રી ચર્ચા કરશે.
કેળના પાકમાં પાણી ફરી વળતા બળી ગયો પાક
ભરૂચનાં અંકલેશ્વરનાં અનેક ગામોમાં નર્મદાનાં પુરને લઈ ભારે નુકશાન થયું છે. કંશીયા અને માંડવા ગામે કેળનાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા. કેળનાં પાકમાં પાણી ફરી વળતા પાક બળી ગયો હતો. કેળનો ભાવ 200 રૂપિયા મણથી ઘટીને 50 રૂપિયા થયો હતો. હેક્ટર દીઢ રૂપિયા 2 લાખની સહાય કરવા ખેડૂતોની માંગ છે.
કોઇલી ગામના 8થી 10 ઘરો નદીના પ્રવાહમાં તણાયા
ભરૂચનાં અંકલેશ્વર તાલુકાનાં કોયલી ગામે ભારે નુકશાન થવા પામ્યું છે. નર્મદા નદીનાં તટે આવેલ કોયલી ગામમાં પુરનાં કારણે ઘરમાં પાણી ઘુસી ગયા હતા. શ્રમજીવી પરિવારોનાં ઘરમાં ઘરવખરીનો સામાનનો નાશ થયો છે. હજુ સુધી કોઈ સર્વે કરાયો નથી. અનાજ પણ પલળી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કોઈલી ગામનાં 8 થી 10 ઘરો નદીનાં પ્રવાહમાં તણાયા હતા.
રાજ્યમાં પુરના લીધે ખરીફ પાક તેમજ કપાસને થયું નુકસાન
રાજ્યમાં કુલ 85.48 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેમાં નર્મદા જીલ્લામાં 97 હજાર હેક્ટર, ભરૂચ જીલ્લામાં 2 લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર થયું છે. જ્યારે રાજ્યમાં 26.82 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર, 16.35 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર, 8.71 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદ અને પૂરનાં લીધે ખરીફ પાક તેમજ કપાસ સહિતનાં પાકને નુકશાન થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy