બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:53 AM, 25 April 2025
પહેલગામ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરની ટુરના બુકિંગ કેન્સલ થઇ રહ્યા છે...જે લોકો આવનારા સમયમાં જમ્મુ-કાશ્મીર ટુર પર જવાના હતા..તે લોકો ટુર ઓપરેટરને ફોન કરીને અથવા રૂબરુ મળીને બુકીંગ કેન્સલ કરી રહ્યા છે.. ઘણી જગ્યાએ જમ્મુ-કાશ્મીરની ટુરનું બુકિંગ કેન્સલ કરાવવા આવનાર લોકોને ટુર ઓપરેટર દ્વારા વૈકલ્પિક ટુર પેકેજીસ ઓફર કરવામાં આવી રહ્યા છે..
ADVERTISEMENT
આ જ રીતે જે લોકો ટુર ઓપરેટર દ્વારા નહીં પરંતુ પોતાની રીતે જમ્મુ- કાશ્મીરની ટુર કરવાના હતા અને રેલવે ટિકીટ બુક કરાવી હતી તે લોકો પણ રેલવે ટિકીટ કેન્સલ કરાવી રહ્યા છે.. એકલા આણંદ રેલવે સ્ટેશનથી એડવાન્સ બુકિંગના 1.25 લાખ રિફન્ડ કરાયા છે.
આ પણ વાંચોઃ
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીરમાં અટવાયેલા પ્રવાસીઓને પરત લાવવા ગુજરાત સરકાર કટિબદ્ધ, કરી આ ખાસ વ્યવસ્થા
આણંદ, નડિયાદ, વડોદરામાં જમ્મુ-કાશ્મીરની ટુરના અનેક બુકિંગ કેન્સલ થઇ ચૂક્યા છે. છેલ્લા બે દિવસમાં 5 હજાર બુકિંગ કેન્સલ થયાના સમાચાર છે. કાશ્મીરને બદલે હવે લોકો દિલ્લી કે હરિદ્વાર જવાનું પસંદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.