બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / જમ્મુ-કાશ્મીરમાં અટવાયેલા પ્રવાસીઓને પરત લાવવા ગુજરાત સરકાર કટિબદ્ધ, કરી આ ખાસ વ્યવસ્થા

સુરક્ષિત વતન વાપસી / જમ્મુ-કાશ્મીરમાં અટવાયેલા પ્રવાસીઓને પરત લાવવા ગુજરાત સરકાર કટિબદ્ધ, કરી આ ખાસ વ્યવસ્થા

Last Updated: 12:10 AM, 25 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીનગરથી 9 પ્રવાસીઓને હવાઇમાર્ગે પરત લાવવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી. આ યાત્રિકો આવતીકાલે એટલે કે 25 એપ્રિલે સવારે અમદાવા એરપોર્ટ પર આવી પહોંચશે

પહેલગામ આતંકવાદી હુમલાબાદ પ્રભાવિત ગુજરાતી પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવાની કવાયત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઇ છે.. 22 એપ્રિલે જ્યારે આ હુમલો થયો ત્યારે બપોરે 3 કલાકે હુમલાની જાણ થઇ જે બાદ જમ્મુ-કાશ્મીર ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો સંપર્ક કરી ઘટનાને લગતી વિગતો મેળવવામાં આવી હતી. રાજ્યના ઇજાગ્રસ્ત પ્રવાસી ભાવનગરના જવનુભાઇ ડાભીને શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ હવાઇ માર્ગે પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.. આ ઉપરાંત રાજ્ય સરકારના સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા રાજ્યના સ્થાનિક જિલ્લા તંત્ર તથા જમ્મુ-કાશ્મીર તંત્ર સાથે સતત સંપર્કમાં રહી અટવાયેલા પ્રવાસીઓની માહીતી મેળવવામાં આવી હતી.. જેમાં અંદાજે 200 જેટલા પ્રવાસીઓની યાદી મળી હતી. જેમનો વ્યક્તિગત સંપર્ક કરતા 24 પ્રવાસીઓ જમ્મુ ખાતેથી અને 9 પ્રવાસીઓ શ્રીનગર ખાતેથી વતન પરત આવવાની ઇચ્છા દર્શાવેલ. જે પૈકી 9 પ્રવાસીઓને શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર લાવવા માટે વ્યવસ્થા કરાઇ હતી.. આ પ્રવાસીઓ આવતીકાલે સવારે 6 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે

રાજય સરકાર દ્વારા વડોદરા જિલ્લાના કુલ 20 યાત્રિકોને જમ્મુથી વડોદરા ટ્રેન મારફતે લાવવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે..જેમાં વડોદરાના 3 અને અમદાવાદના 1 એમ કુલ 4 પ્રવાસીઓને રાજ્ય સરકારના ખર્ચે તારીખ 25 એપ્રિલના રોજ સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન મારફતે લાવવામાં આવશે.. તેઓ 26 એપ્રિલે વડોદરા પહોંચશે.

આ પણ વાંચોઃ પહેલગામ હુમલામાં સરકારે સ્વીકારી પોતાની ભૂલ, સર્વપક્ષીય બેઠકમાં આપી મોટી જાણકારી

આવતીકાલે ( 25 એપ્રિલના રોજ ) સવારે 6 વાગ્યે શ્રીનગરથી હવાઇમાર્ગે અમદાવાદ પહોંચનારા પ્રવાસીઓની યાદી આ મુજબ છે.

(1) નિરવ રમેશભાઇ આચાર્ય

(2) કાજલબેન નિરવભાઇ આચાર્ય

(3) જ્ઞાનેશ નિરવભાઇ આચાર્ય

(4) તીર્થ નિરવભાઇ આચાર્ય

(5) શોભાબેન ભરતભાઇ સઘરાજકા

(6) ભગવતીબેન રમેશચંદ્ર ખોખર

(7) ધર્મિષ્ઠાબેન બકુલભાઇ રાગાણી

(8) જયોતિબેન કાલુભાઇ બરાડ

(9) હર્ષાબેન બી. કનાડા

સ્વરાજ એક્ષપ્રેસ મારફતે આવનાર ૪ પ્રવાસીઓની વિગત નીચે મુજબ છે.

(1) અશોકભાઇ જટાશંકર વ્યાસ

(2)હેમાલીબેન અશોકભાઇ વ્યાસ

(3) મંજુલાબેન ધિરેન્દ્રભાઇ વ્યાસ

(4) ભારતીબેન જયંતિલાલ વ્યાસ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stranded Passengers Arrangements Pahalgam Terror Attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ