બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / BIG NEWS : પહેલગામ હુમલામાં સરકારે સ્વીકારી પોતાની ભૂલ, સર્વપક્ષીય બેઠકમાં આપી મોટી જાણકારી
Last Updated: 10:01 PM, 24 April 2025
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત બાદ કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. પહેલગામ આતંકી હુમલા પર કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં સરકારે હુમલા સંબંધિત મોટી જાણકારી આપી હતી. સરકાર દ્વારા કહેવાયું કે પહેલગામ હુમલા પર સરકાર વતી સુરક્ષાની ભૂલ થઈ હતી.
ADVERTISEMENT
At start of the All Party meeting a two minute silence was observed in the memory of those who lost their life in Pahalgam#PahalgamTerroristAttack pic.twitter.com/qGJqFvP0xw
— 🦏 Payal M/પાયલ મેહતા/ पायल मेहता/ পাযেল মেহতা (@payalmehta100) April 24, 2025
સરકારે શું જવાબ આપ્યો
ADVERTISEMENT
વિપક્ષી પક્ષોએ આકરા પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું, 'ગુપ્તચર એજન્સીઓ ક્યાં હતી?' સીઆરપીએફ અને સુરક્ષા દળો ક્યાં હતા? રાહુલ ગાંધીએ એમ પણ પૂછ્યું કે જ્યાં ઘટના બની ત્યાં કોઈ સુરક્ષા કર્મચારી કેમ નહોતા. આ અંગે સરકારે કહ્યું કે સામાન્ય રીતે આ રસ્તો જૂન મહિનામાં ખોલવામાં આવે છે જ્યારે અમરનાથ યાત્રા શરૂ થાય છે કારણ કે અમરનાથ યાત્રાના યાત્રાળુઓ આ સ્થળે આરામ કરે છે. આ વખતે, સ્થાનિક ટુર ઓપરેટરોએ સરકારને જાણ કર્યા વિના પ્રવાસીઓનું બુકિંગ લેવાનું શરૂ કર્યું. અને 20 એપ્રિલથી પ્રવાસીઓને ત્યાં લઈ જવાનું શરૂ કર્યું. સ્થાનિક અધિકારીઓને આ વાતની જાણ નહોતી. કારણ કે આ સ્થળે દર વર્ષે જૂન મહિનામાં અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલાં સુરક્ષા દળોન તૈનાતી કરવામાં આવે છે.
BIG BREAKING: OPPOSITION PARTIES EXTEND FULL SUPPORT TO MODI GOVT AFTER ALL PARTY MEET ON PAHALGAM ATTACK pic.twitter.com/NzGMWCYwR3
— Shashank Mattoo (@MattooShashank) April 24, 2025
ADVERTISEMENT
પહેલગામમાં 26 પ્રવાસીઓની હત્યા
ઉલ્લેખનીય છે કે પહેલગામમાં પાકિસ્તાની સમર્થિત આતંકીઓએ 26 ભારતીય પ્રવાસીઓની હત્યા કરી નાખી હતી. આતંકીઓએ નામ અને ધર્મ પૂછી પૂછીને હત્યા કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.