બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં શ્વાન ભસ્યો તો પિતા-પુત્રે લાકડીઓ મારી-મારીને અધમૂઓ કર્યો, બચાવવા આવેલી મહિલાને પણ માર
Last Updated: 09:21 PM, 25 April 2026
રાજકોટમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. જેમાં પિતા-પુત્રએ શ્વાન પર લાકડીના ફટકા મારી હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પિતા-પુત્ર શ્વાન પર લાકડી લઈ તૂટી પડ્યા
કલ્યાણનગર શેરીમાં રહેતા ક્રિષ્નાબેન પરમારે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા અઢી વર્ષથી શ્વાનને પાળી રહ્યા છે. તેમજ આ શ્વાન ભસે તે બાબતે બાજુમાં રહેતા પાડોશી મહેન્દ્રસિંહ જાડેજા અને તેમના પુત્ર અભિરાજસિંહને પસંદ ન હતી. ગઈકાલે શ્વાનને બાંધેલ હતું. તે દરમ્યાન બંને પિતા-પુત્ર લાકડી લઈ શ્વાન પર તૂટી પડ્યા હતા.
ADVERTISEMENT

મહિલાએ શ્વાનને બચાવવાનો પ્રયાસ કર્યો
ADVERTISEMENT
પાડોશી પિતા-પુત્ર શ્વાન પર એકાએક તૂટી પડતા શ્વાનનો અવાજ સાંભળી ક્રિષ્નાબેન દોડી આવ્યા હતા. ત્યારે પાડોશી શ્વાનને નિર્દયતાથી મારી રહ્યા હતા. તેમણે શ્વાનને બચાવવા પ્રયાસ કર્યો હતો. પરંતું પિતા-પુત્રએ ક્રિષ્નાબેનને ધક્કો માર્યો હતો. પિતા-પુત્રના હુમલામાં શ્વાન ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ મતદાન કરનાર લોકોને મળશે આ 3 મોટા લાભ, જાણો કયા ઠેકાણે કરાઈ જાહેરાત
ADVERTISEMENT
પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી
આ બાબતે ક્રિષ્નાબેને યુનિવર્સિટી પોલીસ મથકે પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ તેમણે અપીલ કરી હતી કે જો કોઈ અબોલ જીવને સાચવી ન શકીએ તો કાંઈ નહી પણ કોઈને આ રીતે મારવાનો અધિકાર નથી. પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.