ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:40 AM, 4 September 2025
ADVERTISEMENT
Daya Bhabhi on Lalbagh Cha Raja : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીને લઈ ફરી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં દિશા વાકાણી જે અનેક વર્ષોથી ટેલિવિઝનના સૌથી પ્રિય પાત્રોમાંની એક ‘દયા ભાભી’ તાજેતરમાં લાલબાગચા રાજા ખાતે દર્શન કરવા પહોંચતા ચર્ચામાં આવી ગઈ છે. સબ ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તેમના રમૂજી નિર્મળ પાત્રને આજે પણ લોકો યાદ કરે છે.
ADVERTISEMENT
લાંબા વિરામ બાદ એક ઝલક
દિશા વાકાણી પોતાના કુટુંબ સાથે લાલબાગના પંડાલમાં પહોંચેલી અને તેણે સુંદર ગુલાબી સાડી સાથે લીલા રંગના બ્લાઉઝ અને ફેસ માસ્ક પહેર્યો હતો. તેમની આ મુલાકાતનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો જેમાં ચાહકોની એક્સાઈટમેન્ટ સ્પષ્ટ જોવા મળી રહી હતી. ઘણા ચાહકોને જે તેને વર્ષોથી સ્ક્રીન પર જોઈ શક્યા નથી માટે આ એક વિશેષ ક્ષણ બની ગઈ.
ADVERTISEMENT
એક યુઝરે કમેન્ટ કર્યું, “દયાબેનને ફરીથી જોઈને દિલ ખુશ થઈ ગયું!” બીજાએ લખ્યું, “#દિશાવકાણી ફોરએવર દયા ભાભી!” – આ બધાથી સ્પષ્ટ છે કે લોકો હજુ પણ દિશાને તેમના ફેવરિટ પાત્ર તરીકે જુએ છે.
ADVERTISEMENT
મીડિયા લાઈમલાઈટથી દૂર રહેવા ઈચ્છે છે દયાભાભી
ADVERTISEMENT
જોકે દિશા વિડિઓમાં થોડી અસ્વસ્થ લાગતી હતી અને હસતી પણ નહોતી. ચાહકોના દાવા મુજબ તે સ્પષ્ટ રીતે પાપારાઝીથી દૂર રહેવા ઇચ્છતી હતી. ઘણા લોકોએ તેમના જીવનમાં પ્રાઈવસી જાળવવા માટે તેમનો આ નિર્ણય સમર્થનથી સ્વીકાર્યો.

ADVERTISEMENT
રક્ષાબંધનના દિવસે લાગણીસભર મુલાકાત
આ તાજેતરના અવસર પહેલા દિશા વાકાણી અને શોના સર્જક અસિત કુમાર મોદીની મળાવટ રક્ષાબંધન પર ચર્ચાનો વિષય બની હતી. અસિત મોદી ખાસ દિશાના ઘરે તહેવાર ઉજવવા ગયા હતા. તેમણે એક વિડિયો પોસ્ટ કરીને લખ્યું: “કેટલાક સંબંધો ભાગ્ય બનાવે છે... તે લોહીનો સંબંધ નથી, પરંતુ હૃદયનો સંબંધ છે! #DishawaKani ફક્ત અમારી 'દયા ભાભી' જ નથી, પણ મારી બહેન પણ છે.” આ સંદેશ ચાહકોને પણ ભાવવિહ્વલ કરી ગયો, અને બહુ ઓછી વખત દિશાના વ્યક્તિત્વની ખૂબસૂરતી એવા રીતે બહાર આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : ઈન્સ્ટાગ્રામ પર દોસ્તી, પછી પાર્ટીમાં બળાત્કાર, 'દેખા એક ખ્વાબ' ફેમ અભિનેતાની ધરપકડ
હવે જાણીએ કે શું દિશા વાકાણી ફરી શોમાં પાછા ફરશે?
ભલે દિશા વાકાણી આજ સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પાછી ન આવી હોય, પરંતુ ચાહકોની આશા હજી મરી નથી. દરેક નવી ઝલક, દરેક પબ્લિક અપિયરન્સ તેમના કમબેકની આશાને ફરીથી જીવંત બનાવી દે છે. દયા ભાભીનું પાત્ર માત્ર ટેલિવિઝનનું પાત્ર નહીં રહી, પણ લાખો દિલની લાગણી બની ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT