બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:54 AM, 22 August 2025
Jaswinder Bhalla Death: 'કેરી ઓન જટ્ટા' અને ' કાલા કોટ' જેવા ડાયલોગ્સમાં તેમની વકીલની ભૂમિકા માટે જાણીતા પંજાબી અને હાસ્ય અભિનેતા જસવિન્દર ભલ્લાનું આજે 22 ઓગસ્ટ 2025નું નિધન થઈ ગયું છે. તેમને માત્ર તેમણે ભજવેલ પાત્રો માટે જ નહીં પરંતુ કૃષિ વિજ્ઞાનના પ્રોફેસર તરીકે પણ ઘણું સન્માન મળ્યું છે. જસવિન્દર ભલ્લા કૃષિ વિશ્વ વિદ્યાલય લુધિયાણામાં ફેકલ્ટી તરીકે કાર્યરત હતા. તેમણે આ વિષયમાં ઉચ્ચ શિક્ષા મેળવીને પંજાબ કૃષિ વિશ્વ વિદ્યાલયથી PhDની પદવી મેળવી હતી. આ ઉપરાંત પણ તેમણે મનોરંજન જગતમાં તેમનું કરિયર બનાવ્યું હતું.
ADVERTISEMENT
Jaswinder Bhalla (1960–2025) 💔
— Saint Soldier Wisdom (@Sage1709) August 22, 2025
A legendary actor, comedian & academician, who filled Punjabi hearts with laughter for decades, has left us today at 65.
More than an entertainer, he was a teacher, a Ph.D. scholar in Agriculture, & a humble soul who carried Punjab’s culture &… pic.twitter.com/03nDMCnKDo
જસવિન્દર ભલ્લા (Jaswinder Bhalla) ને ચાચા ચટર સિંહના નામે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 4 મે 1960માં થયો હતો. 65 વર્ષની ઉંમરે 22 ઓગસ્ટ 2025 (jaswinder bhalla death) ના રોજ તેમણે દુનિયાને અલવિદા કહ્યું છે. ભલ્લાએ કોમેડી આલ્બમ અને સ્ટેજ પરફોર્મન્સના મધ્યમથી લોકપ્રિયતા મેળવી હતી. કોમેડી સિરીઝ છનકટામાં ચાચા ચતુર સિંહ અને ભાના જેવ કાલ્પનિક કેરેક્ટરથી ઘરે ઘરે ફેમસ થયા હતા. જસવિન્દર ભલ્લા કૃષિ વિશ્વ વિદ્યાલય લુધિયાણામાં પ્રોફેસર હતા અને તે ડીપાર્ટમેન્ટના હેડ પણ રહ્યા હતા. પંજાબ કૃષિ વિભાગમાં 5 વર્ષ કામ કર્યા પછી તેમણે 1989 માં PU માં પ્રવેશ મેળવ્યો. ભલ્લાએ PU માંથી કૃષિ BSc Honors અને Msc ની ડિગ્રી મેળવી ત્યારપછી તેઓ CCS university મેરઠથી પીએચડીની પદવી મેળવી.
ADVERTISEMENT
જસવિન્દર ભલ્લા પંજાબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેમની કુલ સંપત્તિ (Jaswinder Bhalla Net Worth) કુલ 87 મિલિયનની આસપાસ છે.
ભલ્લાની ફિલ્મો
ADVERTISEMENT
Punjab lost its laughter today 💔 Dr. Jaswinder Bhalla, the man behind countless smiles and iconic one-liners, is no more. His ‘chankata’ will echo forever. 🕊🙏 pic.twitter.com/SEdwKhVnvH
— Eknoor Singh bajwa (@eknoorbajwa90) August 22, 2025
જસવિન્દર ભલ્લા એ તેમના ફિલ્મી કરિયરમાં (Jaswinder Bhalla Movie) 1989 માં Dulla Bhatti ફિલ્મથી શરૂઆત કરી. તો 1988 માં ટીવી શો છનકટા થી ડેબ્યૂ કર્યું. તેમણે જાણીતા કોમેડી એક્ટર જસપાલ ભટ્ટી દ્વારા નિર્દેશિત ' માહોલ ઠીક હૈ' (1999) જેવી ફિલ્મોથી પંજાબી સિનેમામાં ઓળખાણ બનાવી.
ADVERTISEMENT
વધુ વાંચો: કોણ હતા જસવિન્દર ભલ્લા? જેઓ હતા પ્રોફેસર, અને પછી બન્યા કોમેડિયન, જાણો મોતનું કારણ

ADVERTISEMENT
RIP Jaswinder Bhalla 💔
— Fzy (@OhoSoSad) August 22, 2025
End of an era in Punjabi comedy pic.twitter.com/BiUYKT9V6N
જસવિન્દર ભલ્લા ફેમિલી
ADVERTISEMENT
તેમના પિતાજીનું નામ માસ્ટર બહાદુર સિંહ ભલ્લા હતું. જેઓ વ્યવસાયે અધ્યાપક હતા. જસવિન્દરે પરમદીપ ભલ્લા જોડે લગ્ન કર્યા હતા. જેઓ એક ફાઇન આર્ટસ ટીચર છે. તેમના બે બાળકો છે એક દીકરો પુખરાજ ભલ્લા જે પણ એક્ટર છે અને એક દીકરી અર્શદીપ કૌર જેના નૉર્વેમાં લગ્ન થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.