શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે જે પરિપત્ર જાહેર કરાવામાં આવ્યો હતો તેને રદ કરવામાં આવ્યો છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત
શિક્ષકો માટે જાહેર કરેલો પરિપત્ર કર્યો રદ
ભારે વિરોધ થયા બાદ પરિપત્ર થયો રદ
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં દ્વારા શિક્ષકોના હિત માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે એવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. કે શિક્ષકોએ 8 કલાક સુધી ફરજિયાત કામ કરવું પડશે.
શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
જોકે આ પરિપત્ર જાહેર કરાયા બાદ શિક્ષકો દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથેજ શિક્ષકોએ તે પરિપત્રને રદ કરવા માટે માગ કરી હતી. જેથી શિક્ષણમંત્રી દ્વારા શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો જેમા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં એવું નિવેદન આપ્યું છે કે શિક્ષકોની ફરજનો સમય એટલોજ રહેશે જેટલો પહેલા હતો.
શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો
હવે પ્રાથમિક શાળાઓનો સમયે એજ રહેશે જે પહેલા રાખવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના પ્રાથમિક વિભાગના શિક્ષકોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા શિક્ષણ વિભાગે ફરજિયાત 8 કલાક સ્કૂલમાં હાજરી આપવા અને અઠવાડિયાના 45 કલાક ભરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
ભારે વિરોધ બાદ પરિપત્ર રદ કરાયો
ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્રને લઈને શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સાથેજ તે લોકોઓ આ મુદ્દે વિરોધ કર્યો હતો. જેથી શિક્ષણમંત્રી દ્વારા નવા નિયમો રદ કરીને જુના નિયમો પાછા લાગું કરવામાં આવ્યા છે.