બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના વર્ગો શરૂ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. જે મામલે VTV NEWS દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેની અસર સામે આવી છે. સરકારે ધોરણ12ના વર્ગો શરૂ કરવા પરિપત્ર જાહેર કર્યો છે. જેમા સરકારે ઓફલાઈન શિક્ષણ મુદ્દે ગાઈડલાઈન જાહેર કરી છે.
ADVERTISEMENT
શાળામાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત
સરકારે જે પરિપત્ર જાહેર કર્યો તેમા તેમણે ઉલ્લેખ કર્યો છે, કે 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને બોલાવી શકાશે. ઉપરાંત શાળામાં વિદ્યાર્થીઓની હાજરી પણ મરજીયાત રહેશે. એટેલે કે જે વિદ્યાર્થી શાળાએ ન આવી શકે તેના માટે ઓનલાઈન શિક્ષણની અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. જોકે ઓફલાઈન શિક્ષણ માટે વાલીની સહમતિ જરૂરી રહેશે.
ADVERTISEMENT
સોશિયલ ડિસટન્સ જરૂરી
શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચે પર્યાપ્ત માત્રામા સામાજિક અંતર જાળવવું પણ જરૂરી રહેશે. તેમજ દરેક વર્ગખંડને યોગ્ય સમયે સેનેટાઈઝ પણ કરવા પડશે. શાળામાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ માટે માસ્ક ફરજિયાત રહેશે. ઉપરાંત શાળામાં પર્યાપ્ત માત્રામાં હેન્ડવોશ પણ રાખવું પડશે. જોકે ઓફલાઈન શિક્ષણમાં વાલીની સહમતી પણ જરૂરી રહેશે.
ADVERTISEMENT
VTV NEWSના અહેવાલની અસર
ઉલ્લેખનીય છે કે અગાઉ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના વર્ગખંડો શરૂ કરવાની વાત કરવામાં આવી હતી. પરતું VTV NEWSના અહેવાલ બાદ સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. જેમા ઓફલાઈન શિક્ષણનો પણ ઉલ્લેખ કરાયો સાથેજ વિદ્યાર્થીઓની હાજરીને પણ મરજીયાત કરવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.