બ્રેકિંગ ન્યુઝ
#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ
રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે
રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ
રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ
રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત
TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું
'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ
ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા
રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો
રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ
VTV / E-passport will be implemented in India soon
Ronak
Last Updated: 08:01 PM, 6 January 2022
ADVERTISEMENT
વિદેશમાં જતા યાત્રીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના નાગરીકો માટે હવે ટૂંક સમયમાં નેક્સ્ટ જનરેશન ઈ પાસપોર્ટ આપવાનું શરૂ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના સચિવ સંજય ભટ્ટાચાર્યએ આ મામલે ટ્વીટ કરીને માહિતી આપી છે. જેમા તેમણે કહ્યું કે જલ્દીથી ભારતના નાગરીકોને ઈ પાસપોર્ટ આપવામાં આવશે.
India 🇮🇳 to soon introduce next-gen #ePassport for citizens
— Sanjay Bhattacharyya (@SecySanjay) January 5, 2022
- secure #biometric data
- smooth passage through #immigration posts globally
- @icao compliant
- produced at India Security Press, Nashik
- #eGovernance @passportsevamea @MEAIndia #AzadiKaAmritMahotsav pic.twitter.com/tmMjhvvb9W
ADVERTISEMENT
ડુપ્લીકેટ પાસપોર્ટ બનવા બંઘ થઈ જશે
વધુમાં સંજય ભટ્ટાચાર્ય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ઈ પાસપોર્ટ ધરાવનારનો બાયોમેટ્રિક ડેટા સ્ટોર રહેશે. આ નિર્ણય ડુપ્લીકેટ પાસપોર્ટને રોકવા માટે તેમજ ઈમીગ્રેશનની પ્રક્રિયાને વધું સરળ બનાવા માટે લેવામાં આવી રહ્યો છે.
ભારતીય યાત્રીઓનું ઈમીગ્રેશન વધું સરળ રહેશે
ખાસ વાતતો એ રહેશે કે ઈ પાસપોર્ટને કારણે ભારતીય યાત્રીઓનું ઈમીગ્રેશન વધું સરળ રહેશે. સમગ્ર મમાલે વિદેશ મંત્રાલયે સંસંદમાં કહ્યું કે નાગરિકોને સારી સુરક્ષા મળી રહે તેને લઈને ચિપ વાળા ઈ પાસપોર્ટ હવે નાગરીકોને આપવામાં આવશે. જેથી કરીને નાગરીકોને ક્યાય પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહી કરવો પડે.
ઈ પાસપોર્ટ પર રહેશે ડિજિટલ હસ્તાક્ષર
આ પાસપોર્ટની ખાસીયત એ છે કે દરેક પાસપોર્ટ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર કરવામાં આવેલા હશે. જેને ઈ ચિપમાં સ્ટોર કરવામાં આવશે. પાસપોર્ટને બુકલેટમાં મુકવામાં આવશે જેથી જો કોઈ વ્યક્તિ પાસપોર્ટ સાથે ચેડા કરશે તો સિસ્ટમને પહેલા ખ્યાલ આવી જશે અને તેનું પાસપોર્ટ વેરિફિકેશન પણ નિષ્ફળ થશે.
ટૂંક સમયમાં વિદેશ મંત્રાલય જાહેરાત કરશે
ઉલ્લેખનીય છે કેન્દ્ર દ્વારા ઈ પાસપોર્ટને લઈને પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં વિદેશ મંત્રાલય દ્વારા હવે ઈ પાસપોર્ટને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જો ઈ પાસપોર્ટ અમલમાં આવી ગયા તો યાત્રીઓને ઘણો ફાયદો મળી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.